SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ન દેવો. તેને અનુકૂળ કરી ચારિત્રધર્મ પાળવો. મન અને ઈદ્રિયોને હજારો પદાર્થોનો અનુભવ થાય, પણ તે પુલ જન્ય છે તેમ સમજવું. તે પદાર્થોમાં રચ્યા પચ્યા રહેનારને, કર્મના ઉદયની અને સત્તામાં રહેલા કર્મની જાણકારી નથી. આથી મોહવશ જીવન જીવે છે. કદાચ પુણ્ય કરી સુખ મેળવવાની અભિલાષા રહે સાચું સુખ પદ્ગલિક પદાર્થોની નિવૃત્તિમાં છે. અનંત પ્રકારનાં કર્મોમાં અઘાતી કર્મો દૂર કરવાં સહેલાં છે. પરંતુ સ્વરૂપઘાતક કર્મોની મંદતા થયે કે છૂટા થયે જ આત્મગુણ પ્રગટે. અઘાતી કર્મો તો મહેમાન જેવાં છે. ઘાતી કર્મો ખપ્યા કે અઘાતી તો મર્યાદામાં જ રહે છે. ઘાતકર્મને કારણે ચેતના સુષુપ્ત રહે છે. વેદનીય કર્મ જેની સાથે ભળે ત્યાં સુખદુઃખાદિ ઉપજાવે અને સુખદુઃખનો અનુભવ સત્યનો આભાસ કરાવે. જાણે કે સુખદુઃખ એ આત્માને જ થાય છે. આવા અનુભવ બદલવાનો યોગ મળે ત્યારે જ ભાન થાય છે કે સુખદુઃખ એ પૌદ્ગલિક લાગણીઓ છે. સુખ અને દુઃખને સમજે અને સમતાથી ધારણ કરે તો વેદનીયકર્મ ક્ષીણ થતું જાય છે. આત્મા સ્વયં સુખદુઃખને ગ્રહણ કરતો નથી. તે દ્રવ્ય અને ભાવમનના સહારાથી તેને જાણે છે. અને તેમાં આર્ત કે રૌદ્રધ્યાન થવાથી વિષયને પકડી લે છે. આત્મા સમકિતવંત હોય તો વેદનીય કર્મ જ્ઞાન સહિત હોય છે. ત્યારે પ્રાયઃ શાતાનો ઉદય હોય. વેદનીય કર્મ ભોક્તા પર આધારિત છે, ભોક્તા આંતર અને બાહ્ય સંયોગ પર આધાર રાખે છે. સંયોગનો ભોક્તા ન બને તો કર્મ નિર્જરા પામે છે, અથવા શાતારૂપે પરિણમે છે. અસંયમભાવ અશાતા લાવે છે. સંયમભાવ વિતરાગતા તરફ લઈ જાય છે. શ્રુતજ્ઞાનના કારણે વેદનીય કર્મના ઉદય વખતે સુખદુઃખનો અનુભવ થાય પણ તેને પરનો સંબંધ જાણે. કર્તા ભોક્તાભાવ ન હોવાને કારણે વેદનીયનો ઉદય શાંત થતો જાય છે. - સુધા એ વેદનીયકર્મની પ્રકૃતિ છે, તે સમયે આકુળ વ્યાકુળ ન થાય અને સમતા રાખે તો કર્મ હળવું રહે છે. તેવી રીતે આ કર્મની દરેક પ્રકૃતિ વિષે સમજવું. સમકિત મોહનીયના ઉદયમાં પોતાને આવો ગુણ છે તેનું માન થવાથી તે કષાયરૂપે પરિણમી સભ્યત્વને દાબે. અને મિથ્યાત્વ મોહનીય કામ કરે. ૧૨૦ સ્વરૂપ અવલોકન www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy