SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની તો તેને વેદનીયકર્મનો ઉદય સમજે છે. સુખ દુઃખનો અનુભવ તે જ્ઞાનાવરણીયકર્મનો ગુણ છે. શાતાવેદનીય હોય તો સુખ અનુભવે અને અશાતાવેદનીયનો ઉદય હોય તો દુઃખ અનુભવે. પુદ્ગલની અસરો સ્વતંત્ર નથી. જ્ઞાના-દર્શનાવરણનો સંયોગ હોય છે. પુદ્ગલની પીડામાં દર્શનાવરણ મુખ્ય છે. જ્ઞાન અને આવરણ બે અલગ અનુભવ છે. શ્રુતથી જ્ઞાનનો અનુભવ થાય. આવરણ કે અજ્ઞાનમાં મિથ્યાત્વ કે કષાયોની અસર હોય. ચોથે ગુણસ્થાનકે આવે ત્યારે કંઈક ઉઘાડ થાય. છટ્ટે સાતમે પહોંચે ત્યારે કષાયના વિષયો બદલાય, કષાયો મંદ પડે. પુદ્ગલ આશ્રયી અવસ્થા તે આત્માની નથી. પળપળમાં ઉપયોગ ફર્યા કરે તો જ્ઞાનાવરણ ખસે નહિ. દરેક પદાર્થનું જ્ઞાન આત્માના ઉપયોગ વડે થાય છે. જીવને આત્મગુણને અનુરૂપ ક્રિયાની સમજ નથી તેથી જ્ઞાનનો અનુભવ થતો નથી. કેવળ વૃત્તિઓ બદલાય તે અનુભવ નથી. ક્રોધ જાયને માન આવે કે માન જાય અને લોભ આવે, તેમાં ક્ષીણતા ન આવે, જ્ઞાનથી તેવી ક્રિયાને ઓળખે, તે કષાયો ટળે અને તે પછી સતક્રિયાથી ચારિત્રને ઓળખે તો ધર્મ અંતરમાં પરિણમે. સુખમાં શાતા અનુભવે અને તેમાં રાચે તો મિથ્યા જ્ઞાન ઉપજે. સુખમાં મૂંઝવણ અનુભવે તે મિશ્રશાન છે. પરંતુ સુખમાં પણ ચારિત્રના ગુણોને વિકસાવે તે સમકિતજ્ઞાન છે. કર્મને સમજી તેનાથી મુક્ત થવાનું છે. જ્ઞાનનું પ્રથમ લક્ષણ જ ઉપશમ છે. પ્રકૃતિ ઉદયમાં આવે, ઉપશમભાવ રહે તો અજ્ઞાન ક્ષીણ થાય, આવો અનુભવ ચોથે ગુણસ્થાનકે થાય છે. છટ્ટે સાતમે તે અનુભવ દૃઢ બને છે. તેનો સમય વધુમાં વધુ બે ઘડીનો છે. આઠે કર્મનું અનુભવ સ્થાન વેદનીય છે. ઘાતીકર્મો નાશ પામ્યા છે તેને શાતાવેદનીય છે. પુદ્ગલના ફેરફાર, હાવભાવ વગેરેને આ કર્મ ઉત્તેજન આપે છે. જેમ કે સ્વાદિષ્ટ ભોજન જોતાં સુખની લાગણી થાય અને મોમાં પાણી છૂટે. કોઈ સ્મૃતિ સુખ કે દુઃખની લાગણી જન્માવે. તેના અનુભવને લોકો જ્ઞાન માને છે. જ્ઞાનીઓ બંનેથી પર થવામાં જ્ઞાન માને છે. ધર્મ કરવાથી જગતમાં સુખ મળે તે આશ્રવ છે. સુખ મળવા છતાં ત્યાગ ભાવ રાખે તે સમક્તિ છે. મન, વચન, કાયાના યોગોનો સહકાર મેળવવો, તેનો વિરોધ થવા સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only ૧૧૯ www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy