SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ભેદ જોયા તેમ જયારે જીવને રાગાદિ થાય ત્યારે તે રાગ કેવા પ્રકારે થયો કેમ થયો, તેના ઊંડાણમાં ઊતરે તો કષાયની મંદતા થાય. શાસ્ત્રાભ્યાસ ચિંતન દ્વારા આચારમાં લેવાનો છે. વેદનીયકર્મ પહેલું જ્ઞાનાવરણ, બીજું દર્શનાવરણ અને આઠ કર્મો પૈકી વેદનીય ત્રીજું કર્મ છે. આ ત્રીજા કર્મનો સ્વભાવ તલવારની ધાર પરનું મધ ચાટવા સમાન છે. તેના બે ભેદ છે. ૧. શતાવેદનીય ૨. અશાતાવેદનીય. તલવારની ધાર પરના મધને ચાટવામાં સુખ ઉપજે છે તે શાતાવેદનીય છે. મધ ચાટવાની સાથે ધાર પર જીભ ઘસાય અને કપાય તે અશાતાવેદનીય કર્મ છે. જે કર્મના સંબંધથી જીવને વિષય સંબંધી સુખનો અનુભવ થાય છે તે શતાવેદનીય છે. જે કર્મના ઉદયથી જીવને વિષયની અપ્રાપ્તિ કે પ્રતિકૂળ વિષયની પ્રાપ્તિમાં દુઃખનો અનુભવ થાય તે અશાતા વેદનીય છે. મધના લેપવાળી તલવાર ચાટવામાં એમ સમજવું કે વૈષયિક કે પૌદ્ગલિક સુખ સાથે દુઃખ ભળેલું છે. આત્માને પોતાના સ્વરૂપના સુખનો અનુભવ થાય તેમાં કર્મનો સંયોગ નથી તે સ્વસ્વરૂપ છે તેથી તે સુખ પાછળ દુઃખ નથી. શાતા અશાતા તે વેદનીય કર્મના બે ભેદ છે. વેદનીય એટલે પીડા જ માત્ર નથી. યોગી અને જ્ઞાનીઓ અનુકૂળતા પ્રતિકૂળતા, શાતા-અશાતા બંનેને કર્મ ગણે. આ કર્મ અઘાતી છે. દેહ સાથે આયુષ્ય સુધી જોડાયેલું રહે છે. કેવળીને ફકત શાતા જ વેદનીય હોય છે. વેદનીયકર્મના ઉદયકાળે જીવને દેહની આકુળતા થવાથી જ્ઞાનાવરણીય કર્મ સાથે રહે છે આથી ઘાતકર્મ જેવું અનુભવાય છે. જ્ઞાન વડે આ કર્મ નિવારી શકાય. દેહના રોગાદિ જેવા અશાતાના ઉદય વખતે ધર્મધ્યાનમાં એકાગ્રતા રહેતી નથી. જીવ આર્તધ્યાનમાં પડી જાય છે. આથી આત્મજ્ઞાન વડે જ આ કર્મ દૂર થાય. અને ભય ટળે. પછી પાપ થવાનો સંભવ નથી. વેદનીયના ઉદય વખતે જીવ મૂંઝાઈ જાય છે. આથી કર્મોનો ધક્કો લાગે છે. અંતિમ સમયે જીવ પીડામાં પડ્યો રહે છે. અને મૂછમાં જીવ છૂટે છે. યોગીઓ સમાધિમરણથી દેહ છોડે છે. વાસ્તવિકપણે તો પુદ્ગલનો અનુભવ કર્મરૂપે એકાકાર છે છતાં સુખદુઃખ એમ બે પ્રકાર બતલાવ્યા છે. કારણકે તે જ્ઞાનનો ગુણ નથી. સ્વરૂપ અવલોકન ૧૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy