SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાવ આપવાથી આવરણ વધે તેથી તેવા અપશબ્દોને કેવળ વચનના પુદ્ગલોનો યોગ સમજી સહી લે છે. શબ્દોને અને વિચારને દૂર ચાલી જવા દે છે. તેના વિકલ્પોની ધારણા ન થાય તેથી કર્મનું આવરણ દૂર થાય છે. અપશબ્દ દેહધારી નામને માટે વપરાયા છે. તેની અસરથી જો શબ્દ પકડતાં દેહનું મમત્વ પકડાઈ જાય તો ચેતન દબાઈ જશે. અને મૂળ આત્મસાધન વિસરાઈ જશે તેમ તે જાણે છે. સામાયિકની વિધિમાં ગૂઢ રહસ્ય છે. તેનાં સૂત્રો સાથે ભાવ જોડાયેલો રહે તો ઉપયોગ શુદ્ધ થાય, અને બે ઘડીમાં તે તત્ત્વનો નિર્ણય થાય. સામાયિક પછી યોગની ક્રિયા બદલવી પડે પણ વિચારણા ચૂકી ન જવાય. ક્ષયોપશમ ભાવ હોવાથી કદાચ ચૂકી જવાય. પરંતુ વારંવાર પ્રયત્ન કરવાથી ક્ષાયિકભાવમાં પહોંચાય, કે જયાં કર્મનો ક્ષય થાય. આવરણ ગુણ પર લાગે છે ગુણી પર લાગતું નથી. પરંતુ ઈદ્રિયો અને મનના વિકલ્પોને કારણે અવગુણ પકડાઈ જાય છે. આથી દેહને સુખે સુખી અને દુઃખ દુઃખી થવાની લાગણી થાય છે. ઉપાદાન શુદ્ધ રહે તો ગુણ પ્રગટે. દર્શન અને જ્ઞાન તથારૂપ રહે તો આત્માર્થ થાય. અને ચારિત્રનું બળ વિકસે સમકિતી જીવને દર્શનાવરણઆદિ મંદ પડે. જિનપૂજા, સ્તવનાદિમાં ગુણોનું સ્મરણ ભાવ સાથે થાય તો જીવનમાં ગુણો વિકસે. કેવળ રાગરાગિણી તરફ લક્ષ હોય તો અજ્ઞાન ટળે નહિ. પુદ્ગલના સંયોગ વિયોગમાં સુખ દુઃખનું કારણ જાણે છતાં ધર્મના યોગે પુણ્ય બંધાય અને શુભયોગ ઉદયમાં આવે ત્યારે ધર્મ ન વિસરે. કથાઓમાં આવા પુણ્યની કથાઓ આવે. તે કેવળ નિશ્ચયવાદથી ઉપદેશ આપે તો લોકોને સમજાય નહિ, અને આચરણ ન થાય તેથી કથાને રસિક બનાવે, ત્યાં પણ વ્યવહાર ધર્મ જ જાણવો. તે વ્યવહારની શુદ્ધિ જ ઉપશમ ભાવને પ્રગટ કરે. આ જ પ્રમાણે દરેક ઈદ્રિયોના ગુણનું પૃથ્થકરણ થાય તો દરેક ઈદ્રિયોની શક્તિ વિકસે અને ધારણાશક્તિ વધે. એ ધારણાને જિનપૂજા, સામાયિક કે નવકારમંત્રના જાપ વગેરેમાં યથાયોગ્યપણે જોડે તો ચિત્તશુદ્ધિ થતાં દર્શનાવરણ અને જ્ઞાનાવરણ ક્ષીણ થતું જાય. આવી ક્રિયા એટલી ઝડપથી થતી હોય છે કે પ્રમાદવશ જીવને આવો ઉપયોગ રહેતો નથી. અને આઘે આઘે જીવનની ક્રિયાઓ થતી હોય છે. જેમ ઉદય માટે ઉપરના સ્વરૂપ અવલોકન ૧૧૭ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy