SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ વધે, પણ સાધન બરાબર ન હોય માંકડ મચ્છરનો ઉપદ્રવ હોય તો શરીર તરફ ઉપયોગ જાય. પીડા અને ઉપદ્રવને વિચારી આર્તધ્યાન થાય. જો જીવન સ્વાધ્યાયમય હોય તો તેને આવરણ દૂર કરવાનું ક્ષેત્ર જાણી આરામ લે છતાંય નિદ્રામાં કર્મની મંદતા કરે. ઈદ્રિય અને મન દ્વારા થતાં આવરણ દૂર કરવાનાં છે, પણ દિવસ વિષયસુખના પ્રમાદમાં અને રાત્રી નિદ્રામાં પૂરી થાય તો મહિમૃતનું આવરણ કેમ દૂર થાય? ગમે તેવો શૂરવીર હોય પણ નિદ્રા આગળ લાચાર થઈ જાય. યોગીઓને જ નિદ્રા સ્વાધીન હોય છે. જો દેહરૂપી ઘરનો મોહ ન છૂટે તો માટી, ચૂનાના બંગલાનો મોહ થવાનો છે. દેહ જીર્ણ થતાં છૂટી જવાનો છે ત્યારે બંગલા છોડવા પડે છે. સમકિતી આવી કાર્મણવર્ગણાને જાણે છે સમજે છે તેથી સમભાવથી સાધનોને કર્મની ઉપાધિ જાણી ભોગવીને છૂટી જાય છે. જૈનકુળમાં જન્મેલો જૈન તો ખાસ વિચારે કે મારે કેવો આચાર કરવાનો છે ? દ્રવ્યથી જૈનકુળ મળ્યું. ભાવથી તે જીવવાનું છે. જૈન શાસ્ત્રમાં ગુણસ્થાનક કહ્યા છે તે ઉત્તરોત્તર ગુણ તરફ જવા માટે છે. | દર્શન અને જ્ઞાનનું આવરણ એટલે બુદ્ધિ અને ઈદ્રિયોનો વિપર્યાસ તથા શાસ્ત્રની આજ્ઞામાં શ્રદ્ધાને આવરણ આવે એટલે ક્રોધાદિ કષાયોનું રાજ્ય ચાલે તેમાં મોહનીય કર્મ પાકું થાય પછી અંતરાય કર્મ આવીને ઊભું રહે છે. આ બધા આવરણોમાં સર્વઘાતક રસ હોય પછી આત્માના ગુણોનો જ ઘાત થાય. મહામોહનો ઉદય થાય, તે અવિવેકનું કર્તવ્ય કરાવે. માટે દરેક ક્રિયામાં અભ્યાસથી વિચારણા કરવી. સમકિતીની ભાવદશાઃ સમકિત એ સાધન છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રનો ગુણ વિકસે. આવા સાધન રહિત જીવ મહામોહનીય કર્મથી પીડાય. રાગાદિથી આવરણને નોતરે સમકિતી માધ્યસ્થભાવે ત્રણે યોગના સંબંધોને ગુણાભિમુખ કરે. અને જડ પદાર્થોમાંથી સુખની વૃત્તિને દૂર કરે. સંસારના સંબંધોમાં માન અપમાનના પ્રસંગો આવે. કોઈ અપશબ્દ બોલે ત્યારે શબ્દ શ્રવણ થતાં જ તેમાંથી દુઃખની લાગણી જન્મે છે. સામી વ્યક્તિ દર્શનગુણના આવરણને કારણે વચનનો આવો ઉપયોગ કરે છે. અને સાંભળનાર દુઃખી થાય તો તેને પણ દર્શને આવરણ હોય. પણ સમકિતી સમજે છે કે આ તો વચન અને બુદ્ધિના અવિવેકનું કારણ છે. સ્વરૂપ અવલોકન ૧૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy