SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ જોઈએ. જીવ ચાહે તો ઊર્ધ્વતમ-મોક્ષે જઈ શકે, ચાહે તો નીચેમાં નીચે નરકગતિમાં જઈ શકે છે. દરેક દ્રવ્યના વસ્તુ, ગુણ, ધર્મ તથા ક્રિયાને ક્ષાયિક સમકિતી જાણે છે, ભોગ્ય ન ગણે તેથી અભોગ્ય કરી પૂર્વ પ્રારબ્ધને પૂર્ણ કરે છે. અતિ પુણ્યનો પણ અભોગ્ય કરી ક્ષય કરે છે. દર્શન શુદ્ધ અનેક પ્રકારે થઈ શકે. જીવનના દરેક ક્ષેત્રમાં વ્યવહારમાં સામે આવતા પદાર્થ કે સંયોગની પૂર્ણ વિચારણા કરી વ્યવહારને સમભાવે નિભાવે. અશુભને સમજી લે અને પુણ્યને પણ સમજી લે. પુણ્યની સામગ્રી મળતાં વધુ લોભ કે કોઈની વસ્તુ મેળવવાની આસક્તિ થશે તો કોઈ જન્મે તેના સંયોગમાં પશુ બનીને પણ તે દેવું ચૂકવવું પડશે. અશુભયોગથી દેહને રોગ થાય ત્યારે હિંસાજન્ય ઉપાયો કરવાથી તાત્કાલિક રોગ મટે પણ તેમાંથી જે કર્મ ઉપાર્જન થયું તે તો વધુ ને વધુ આશાતાનું કર્મબંધન કરે. ઘેનની દવાથી નિદ્રાને ગાઢ કરવામાં આવરણ વધે. મતિશ્રુત શુદ્ધ હોય તો તેવે સમયે સમતા રહેવાથી કર્મની મંદતા થાય છે. ઉજાગરદશા ન થાય ત્યાં સુધી અશુભ સમયે આવરણ આત્મગુણને ભરખી ન જાય તે માટે જાગૃત થવું. - મતિ શ્રુતની શુદ્ધિ માટે સામાયિક એ સાધન છે પણ સમય પસાર કરવા મન બહાર ફરે અને હાથમાં માળા ફરે તો શુદ્ધિ ન થાય. દ્રવ્ય અને ભાવથી સામયિક થાય તો વિચારણા જાગે. પોતાના દોષો જોવા. આવરણ ક્યાં છે તેની વિચારણા કરવી. પહેલાં તો સમ્યગું સામાયિક, પછી વ્રતરૂપ કરવું અને ત્રીજું આસનસ્થ પ્રતિમારૂપ કરવું. આત્મગુણ તરફ જવાનું જ લક્ષ હોય, તો સાધુપણાનો અધિકાર પ્રાપ્ત થાય. શ્રાવકને સામાયિકના ભાવથી સંસાર ઘટતો જાય. જ્ઞાનીઓએ આવા સ્વતંત્ર માર્ગો બતાવ્યા છે. પણ આપણે આવરણને કારણે પરાધીનતા લાવીએ છીએ. સમકિતીએ ગુરુ અને શાસ્ત્રના અવલંબનનું નિમિત્ત લઈ પોતાના ઉપાદાનને ગ્રહણ કરવું. મતિ અને શ્રુતની શુદ્ધિથી ઉપાદાન શુદ્ધ થાય. શુદ્ધ દર્શનથી ઉપાદાનને જાણે અને જ્ઞાનથી સમજે તો વ્યવહાર શુદ્ધિ થાય અને નિશ્ચયમાં તો શુદ્ધતા રહે જ. પ્રતિકૂળતામાં પણ શુદ્ધ ઉપયોગ રાખે તો આવરણ ઘટે. ઈદ્રિયો નિદ્રા આગળ પરાધીન થાય છે. સુંવાળી તળાઈ હોય તો નિદ્રાની માત્રા સ્વરૂપ અવલોકન ૧ ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy