SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ કરવું એમ નથી. પ્રારંભમાં અશુદ્ધનયે ક્રિયા રહે તો પણ ધ્યેય કેવળ નિશ્ચયનું રાખવું. પુણ્યબળથી સુખ મળે પણ તેમાં મોહ થાય તો કર્મબંધનના પ્રસંગ ઊભા થાય, વળી તે કર્મો ખપી જાય પછી જ માર્ગ સરળ બને. દર્શનાવરણ થતું જ અટકાવવું. તે માટે આહાર, વિહાર અને આચારની પણ શુદ્ધિ જ જોઈએ. સામાન્ય (પ્રચલા) નિદ્રા સુધી તો પહોંચી વળાય. પણ ગાઢ સ્થાનધ્ધિ નિદ્રા નરકગામી બનાવે ત્યાંથી તિર્યંચમાં જઈ વળી કોઈ સાધુ જેવાનો યોગ થાય ને ભાન થાય તો મનુષ્યપણુ પામે. ત્યાં વળી જ્ઞાનીનો યોગ મળે, ધર્મ માર્ગ મળે. માટે વેરાનુબંધ સંબંધમાં પણ વૈરમુક્ત થવું. પ્રેમી થઈ કે સમભાવી થઈ છૂટા પડવું તેમાં મનુષ્યત્વ છે. સંસારમાં પુત્રાદિ પર રાગ હોય. પણ ત્યાં જ સંસારી અટકતો નથી. મોહનીયની પ્રકૃતિને કારણે પરિવાર માટે રાગ કરવો, કપટ કરવું, બીજાના પરિવાર કરતાં પોતાના પુત્રપુત્રીને સારા દેખાડવાં, સારું ખવરાવવું, અન્ય પર દ્વેષ કરવો. આમ અનંતાનુબંધી કષાયો વધતા જાય અને દર્શનાવરણ, જ્ઞાનાવરણ ગાઢ થઈ આત્મશક્તિનો હ્રાસ કરે. ધર્મમાર્ગમાં પ્રથમ પગથિયું સમ્યગુદર્શન છે. તેમાં ઉપશમભાવે ચઢેલો પણ છેક નીચે પડે છે. માટે સતત સતત જાગૃતિ રાખવી. ક્ષાયિક સમક્તિ થયા પછી આત્મા પોતે જ પોતાને સંભાળી લે છે. નિદ્રા એ આવરણ છે. પરંતુ તંદ્રાની જેમ નિદ્રા લે અને સ્વાધ્યાય આદિના ચિંતવનમાં રહે તો આરામ મળી જાય અને પ્રમાદ ન થાય. દર્શનનું આવરણ પ્રમાદરૂપે હોય ત્યારે જીવ મૂંઝાઈ જાય. પછી કર્મ કરીને ધર્મનો નિર્ણય કરવા નીકળે તો કયો માર્ગ ખૂલે? ધર્મ એ તો મહાપ્રશમનું સ્થાન છે. કોઈપણ પદાર્થને જીવ મોહથી સાચવી રાખે તો ય તે આયુષ્યપૂર્ણ થતાં છૂટી જશે. શરીરમાં દસમાણના સાધન વડે આત્મા દેહમાં કામ કરી શકે છે. અને આત્મા વડે તે સૌમાં ચેતન પ્રગટે છે. આયુને વાયુ (પ્રાણ) ભોગવે છે. વાયુને ઈદ્રિયો ભોગવે છે. વાયુ બંધ થયો, આત્મા નીકળી ગયો કે શરીર શબ થઈને રહે છે. આથી વેદમાં જીવને પ્રાણ-મહાપ્રાણ કહ્યો છે. અને છેવટે આત્મા સંચિતઆનુપૂર્વી કર્મ પ્રમાણે બીજો દેહ ધારણ કરે છે. દર્શનશુદ્ધિ : આ મનુષ્ય જીવનનો સાર જ્ઞાનદર્શન શુદ્ધિનો હોવો સ્વરૂપ અવલોકન ૧ ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy