SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ઘણાં કર્મ ખપે. તેથી નવારમંત્રમાં સર્વ પાપનો ક્ષય દર્શાવ્યો છે. જે જ્ઞાનીને ગુણશ્રેણિએ જતાં સામાÁયોગમાં પ્રગટે છે. પ્રથમ જ્ઞાનાવરણ અને દર્શનાવરણ વિષે વિચારણા કરી હતી. આહાર, સ્પર્શ કે અન્ય વિષય સુખમાં તીવ્રરસ લેવાથી ઈદ્રિયાસક્ત થાય. તેને આવી ત્યાનધ્ધિ નિદ્રા જેવા ગાઢ દર્શનાવરણનું કર્મ બંધાય. જ્ઞાન કે દર્શનનું કામ ઈદ્રિય દ્વારા ન થઈ શકે. દર્શન જ્ઞાન આત્માના ગુણો હોવાથી ઈદ્રિય ગમ્ય નથી. ગાઢ દર્શનાવરણવાળા જીવને રૌદ્રધ્યાન વધુ હોય. તેની સાથે હિંસા, મૃષા વગેરે દોષો હોય જ. અને આની પ્રબળતા સામાન્ય નિદ્રામાં ન ભોગવાય તે તો મ્યાનધ્ધિ નિદ્રામાં જ ભોગવાય. આવી નિદ્રાના આવેગમાં હાથી જેવા બળવાન પશુને મારવાનું બળ હોય છે. વળી નિદ્રામાં કોઈને મારીને આવે છતાં ખબર ન પડે. આવા જીવને અનંતાનુબંધી કષાયો છે. જીવ ગાઢ અજ્ઞાનદશામાં જીવે છે. આનિદ્રા દર્શનાવરણનું છેલ્લું આવરણ છે. અલ્પજીવોને જ ઉદયમાં આવે છે. પૂર્વે નિકાચિત કર્યું હોય તો સાધુ જેવાને પણ આ આવરણ આવે. આવા જીવ અવશ્ય નરકગામી હોય છે આ કર્મ જીવનસાથી જેવું હોય છે. તેથી પરિણામ અને ક્રિયામાં નિકાચિત રસ રહે અને બંધનમાં ઘેરાઈને જીવ જડતા પામે. અવિવેકી થઈને જીવે. ભોગવતી વખતે મોહનીય સાથે મળે એટલે મહા અવિવેક થાય. જો ઉપયોગમાં જ્ઞાનનો સહારો હોય તો જ કર્મથી છૂટાય. જ્ઞાન, તપ, ચારિત્રની દરેક ક્રિયામાં શુદ્ધ ઉપયોગની જરૂર છે. એકવાર સમક્તિ સ્પર્શે પણ જો વમી જાય તો પહેલે જઈને કેટલોય કાળ ભ્રમણમાં જાય. જ્યાર્થિનિદ્રા અતિ વિભાવને કારણે સ્થાનધ્ધિ નિદ્રાનું આવરણ થાય છે અતિ વેર, રાગ, કામ, ક્રોધ જેવા મહામોહનિયજન્ય કર્મથી આ નિદ્રાકર્મ બંધાય છે. ક્રૂરતાનો ભાવ હોય તેમાં વારંવાર રસ આવ્યા કરે તો કર્મગાઢ બને. તેને ભોગવવા તેવા જ સ્થાનોમાં જન્મ લેવો પડે ત્યાં આત્માની શક્તિ દબાયેલી રહે છે. એક કર્મ સાથે બીજાં કર્મો અંતર્ગત હોય છે. પ્રથમની ચાર નિદ્રા કરતાં આ નિદ્રા દોષ અતિ આવરણરૂપ છે. માનવદેહ મોક્ષ માટે છે, ધર્મ મોક્ષ માટે જ છે તેવી પ્રતીતિ હોય છે. તપાદિના ફળરૂપે સંસારસુખ મળે તો તે અશુદ્ધક્રિયા જ છે. તેથી તપ ન સ્વરૂપ અવલોકન ૧૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy