SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ જીવો તરવાના કામી હોય છે. તે આ માર્ગને ગ્રહણ કરી લે છે. પરમજ્ઞાનીની વાણીમાં શ્રદ્ધા રાખી જીવે સત્ પુરુષાર્થ કરવાનો છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુસરીને આ કાળે જે દેહ-સંઘયણ આદિ મળ્યા છે. તેની શક્તિ પ્રમાણે ધર્મની આરાધના કરે તો જીવ આત્મઆરાધના કરી શકે છે. જ્ઞાનીઓએ ધર્મશાસ્ત્રોમાં એવાં ક્રિયાઅનુષ્ઠાનો દર્શાવ્યાં છે. તે શાસ્ત્રઆજ્ઞાનું આલંબન લઈ જીવ ધર્મ આરાધન કરે તો નિરાલંબ સ્થિતિને પામે. આત્મા સ્વયં પોતાના કર્મોનો કર્તા ભોક્તા છે. અને હર્તા છે. તે માટે માર્ગ નિશ્ચિત કરી તેને યોગ્ય પુરુષાર્થ કરવાનો છે. પ્રારબ્ધની રાહ જોઈ બેસી રહે કે ભવસ્થિતિ પરિપકવ થશે એટલે મુક્ત થઈશું તો ભ્રમણ ટળે નહીં. ચેતનના ઉપયોગ દ્વારા થતી એકએક ક્રિયા ફલવતી છે. જીવ આ કર્મની વિચિત્રતાને નિહાળતાં શીખે તો બોધ પામે કે મિથ્યાત્વ કે અજ્ઞાનથી બાંધેલાં કર્મોનું શું પરિણામ આવે છે. જડ પદાર્થો ચેતનરૂપે પરિણમતાં નથી. પણ તેનું નિમિત્ત પામી જીવ રાગાદિરૂપે કે ભાવકર્મરૂપે પરિણમે છે. જીવ મિથ્યાત્વના (અશુભ) અધ્યવસાયોને ત્યજી દે, અનાદિથી સેવેલી ભ્રાંતદશાને ત્યજી દે, તો આત્માના શુદ્ધ સ્વભાવનો કંઈક અનુભવ થાય. શુદ્ધ ક્રિયા દ્વારા તે અનુભવને વધુ દૃઢ કરે તો કર્મબંધન થતાં નથી. અને જીવ પૂર્વ કર્મથી મુક્ત થતો જાય છે. જયાં ફરી બંધન નથી. ધર્મને બહાને પુણ્યનાં ફળ આપનારી ક્રિયામાં અટકવાથી સંસારદશા છૂટતી નથી. ધર્મ જેવી લાગતી ક્રિયાઓ ધર્માભાસ છે તેમાં જીવનું કલ્યાણ નથી. ધર્મ એ આત્મ દ્રવ્યનો શુદ્ધ સ્વભાવ છે. અણુમાત્રની મલિનતા કે મિશ્રભાવને ત્યાં સ્થાન નથી. સત્ દેવ, ગુરુ, ધર્મનું શુદ્ધ આરાધન જ શુદ્ધ માર્ગનું, મોક્ષમાર્ગનું અવલંબન છે. જાગૃત્તિ એ શુદ્ધ ક્રિયા છે. ધર્મગ્રંથોનું કેવળ અધ્યયન, સ્મૃતિ, સામાન્યજ્ઞાન તે જ્ઞાન નથી. તે સાધન તરીકે સહાયક છે. તેનાથી ક્ષયોપશમભાવ રહે છે, કેવળ ધર્મગ્રંથોનો અભ્યાસ જ મોક્ષદાયી હોત તો ગ્રંથોનોજ મોક્ષ સંભવી શકે. ધર્મશાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે આચરણ કરવામાં સાચી આરાધના છે. તેમાંથી દઢ થતા સંસ્કારો સંસારના તાપથી છૂટવામાં સહાય કરે છે. કેવળ શાસ્ત્રજ્ઞાનથી ગર્વ ન લેવો. પોતે જાણે છે તે તો ઘણું જ અલ્પ છે અને સ્વરૂપનું જ્ઞાન સ્વરૂપ અવલોકન ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy