SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષણે જીવ પુદ્ગલોને ગ્રહે છે અને તજે છે. પૂર્વસંચિત એવા કર્મના ઉદયકાળે જીવ દ્રષ્ટાપણે રહે તો કર્મ નિર્જરી જાય છે. દ્રષ્ટપણે જીવતા દેહધારી જીવો સંસારમાં રહેવા છતાં સમભાવે પ્રારબ્ધને વેદે છે. તે ગૃહસ્થ છતાં સાધુસમાન છે. સંસારથી મુક્ત થવાને લીધે પ્રારબ્ધને ભોગવે છે. આ નિર્જરા સકામ અને અકામ બંને પ્રકારે હોય છે. દા.ત. ક્ષત્રિય પ્રકૃતિવાળો જીવ સમતાથી શરીરકષ્ટ સહન કરી લે. મારો, કાપો તોય હુંકારો ન કરે. વીરતાના ભાનથી સહન કરે. અજ્ઞાનપણે કર્મને ભોગવી લે તે અકામ નિર્જરા છે. મૂઢતા કે દેખાવથી કષ્ટ સહન કરી લેવું તે અકામ નિર્જરા છે. કારણકે તેમાં આત્મગુણ પ્રગટતો નથી. સમપરિણામી કે સમ્યગ દૃષ્ટિ જીવ કર્મને યથાસ્વરૂપે જાણે છે, જુએ છે છતાં દ્રષ્ટાભાવે સહી લે છે તે સકામ નિર્જરા છે. કારણકે સમપરિણામ આત્મગુણને પ્રગટ કરે છે. સમ્યગુ દષ્ટિ-જ્ઞાની આત્માઓ પૂર્વ પ્રારબ્ધને ઉદયમાં આવતાં જ ખેરવી નાંખે છે. જ્ઞાની સંવરભાવમાં રહેવાથી નવાં કર્મોને રોકે છે. મિથ્યાષ્ટિ જીવ પૂર્વ સંચિત કર્મના ઉદયકાળે કર્તા ભાવથી કર્મ ફળ ભોગવે છે અને નવાં ગ્રહણ કરે છે. શુભભાવ હોય તો પુણ્યનો સંચય થાય છે અને અશુભભાવ હોય તો પાપનો સંચય થાય છે. પુણ્યમાં અનુકૂળતા હોવાથી જીવ તેને ગ્રહણ કરવા પ્રેરાય છે. પાપકર્મમાં પ્રતિકૂળતા હોવાથી તેનાથી દેહભાવે છૂટવા પ્રેરાય છે. મુમુક્ષુ કે આત્માર્થી જ્ઞાની પુણ્ય અને પાપ બંનેને આશ્રવભાવે જુએ છે, બંનેને બંધન અને બાધક માને છે. અજ્ઞાનવશ જીવ પુણ્યને ધર્મ માની લે છે. અને ધર્મને નામે અનેક ક્રિયાઓ કરે છે. શુભ કે અશુભ ભાવથી થતી ક્રિયામાત્ર કર્મરૂપે જ પરિણમે છે. કેવળ સ્વભાવ ધર્મથી જ કર્મ છૂટે છે. જે ક્રિયાથી કર્મની નિર્જરા થાય તે ધર્મ છે. મુક્તિ તરફ લઈ જાય તે ક્રિયા ધર્મ છે. પુણ્ય અને પાપ બંને સંસારફળ છે. જેનાથી બંધ કે આસવ થાય તે જ કારણથી નિર્જરા ન થાય. જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મને ગ્રહણ થવામાં ભાવકર્મની પરિણતિ નિમિત્ત છે. ભાવકર્મથી જ કર્મનું બંધાવું અને છૂટવું થાય છે. આત્મા દ્રવ્યથી, શુદ્ધ છે તેવી દઢ શ્રદ્ધા કરે, સંસારને દ્રષ્ટાભાવે નિહાળે, તો કર્મનું કર્તૃત્વ ભોકતૃત્વ છૂટે. પોતે પરમાત્મા, જ્ઞાની થવાને યોગ્ય જ છે. તીર્થકરાદિ દેવોએ સર્વજીવોને મોક્ષના અધિકારી જાણીને માર્ગ બતાવ્યો છે. ભવ્ય ૧૦. સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy