SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ છે. તેને પૂર્વ પ્રારબ્ધ માનવામાં ન આવે તો સંસારમાં એક જીવ સારાં કર્મ કરવા છતાં વર્તમાનમાં દુઃખી જોવામાં આવે છે. અને એક જીવ પાપ કરીને અધમ રીતે જીવવા છતાં સુખી જોવામાં આવે છે તે કેમ બને? તેથી એમ સમજાય છે કે આ વિચિત્રતા એ પૂર્વજન્મનું ફળ છે. દરેક કર્મનું ફળ શીધ્રભાવિ ન હોય. યથાકાળે કર્મફળ પરિણામી થાય છે. અધ્યાત્મમાર્ગમાં આવા કર્મવાદને સ્વીકારવો પડશે. આત્માર્થીએ જગતની વ્યવસ્થાના વાદવિવાદમાં પડવાની જરૂર નથી. તીર્થકર જેવા પરમજ્ઞાનીના સમયમાં પણ આત્માની શ્રદ્ધા ન થવાને કારણે જીવો વાદવિવાદમાં પડીને ભવભ્રમણને પામ્યા છે. આ કાળમાં પ્રત્યક્ષ પૂર્ણ જ્ઞાનીના વિરહમાં ઘણા અંતરાયો છે. જીવે જગતના કુવ્યવહારથી અલિપ્ત થઈ પોતાનો માર્ગ નક્કી કરવાનો છે કર્મ બંધનથી આત્માને મુક્ત રાખી અધ્યાત્મ માર્ગને ગ્રહણ કરવાનો છે. સ્વરૂપની રુચિ અને આત્માના ગુણનો આદર તે અધ્યાત્મ છે. સંસાર અને વૈરાગ્ય, કર્મબંધ અને મુક્તિ, દેહ અને આત્માનો ભેદ સમજી આત્માર્થને સાધી જે સ્વનું કલ્યાણ કરી શકે તે જ અન્યનું કલ્યાણ કરી શકે. અથવા કલ્યાણ માટે નિમિત્તભૂત બની શકે. જગતનો વ્યવહાર કર્મના સિદ્ધાંત પર નભી રહ્યો છે. કર્મનો સામાન્ય અર્થ કર્તવ્ય કે ક્રિયા થઈ શકે. મૂળ અર્થમાં શુભ અશુભ વૃત્તિઓનું વિભાવમાં પરિણમવું તે કર્મ છે. જયાં સુધી જીવ કર્મ રજથી બંધાયેલો છે ત્યાં સુધી વિભાવથી કર્મનો કર્તા અને ભોક્તા છે. મન અને ઈદ્રિયોને વશ જીવ દ્રવ્ય ક્રિયા કે બાહ્ય ક્રિયા દ્વારા ભાવકર્મથી ક્ષણે ક્ષણે કર્મ બાંધે છે અને તેનાં ફળ ભોગવે છે. આ કર્મવાદ છે. તેનાથી મુક્ત થવાનું લક્ષ તે આત્મવાદ છે. જડ એવાં કર્મો ચેતનના સંયોગે ફળ પરિણામી બને છે. મોહ અને અજ્ઞાનને કારણે જીવ કર્મનો કર્તા બને છે. કત્વના અભિમાનથી સંસારના ભ્રમણને પામે છે. ચેતનદ્રવ્ય સ્વભાવથી શુદ્ધ છે. કર્મના સંયોગીપણાને લીધે મલિનતા પામ્યો છે. ચેતન જો પોતાના સ્વભાવમાં સ્થિર રહે તો જડકર્મ કંઈ ફળ આપી શકતા નથી. કર્મ કે તેનાં પરિણામ કેવળ ચર્મચક્ષુ દ્વારા, અજ્ઞાનવશ જાણી શકાતાં નથી. પૌગલિક પદાર્થો રૂપી અને નિરંતર પરિવર્તનવાળા છે તેની સૂક્ષ્મતા જાણી શકાતી નથી. પરપરિણતિને લીધે અજ્ઞાનવશ ક્ષણે સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy