SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ અરિહંતાદિનો અહોભાવ : વ્રત નિયમો નિવૃત્તિ માટે છે. ઉપવાસ આત્માના ચિંતન માટે છે. પૂજા ભાવ ઉલ્લાસની શુધ્ધિ માટે છે. દિવાળી જેવા નિર્વાણના તહેવારની ઉજવણી કયારે થાય? આમ તો પ્રભુનો વિરહ થયો. પ્રભુ સંસારથી છૂટી નિર્વાણ પામ્યા આપણે સંસારથી છૂટીએ ત્યારે આનંદ. એવા કર્તવ્યભાન વગર આનંદ માને તો તે પૌદ્ગલિક આનંદ છે. પ્રભુ નિર્વાણ પામ્યા તેનો આઘાત લાગે ત્યારે સંસાર છૂટે. ગૌતમ પ્રભુને કેવળ પ્રભુ પ્રત્યે રાગ હતો, તેય આઘાતથી ક્ષય થયો અને સર્વજ્ઞ થયા. પણ રૂઢિના બળે દિવાળીના તહેવાર કેવો મનાય છે? સમકિતી રંગરાગ કે હિંસા જેવી પ્રવૃત્તિમાં તહેવાર ન ઉજવે. પુલભાવ છોડવાનો ભાવ રાખે. વ્રત કરે, કાયોત્સર્ગ કરે. અને બંધનથી હળવો થાય. સમકિતી હોય છતાં સક્રિયા ન કરે તો સમકિત સત્તામાં પડયું રહે કે વમી જાય, વિકાસ ન કરે. જ્ઞાનદશા હોય તો જ ઈદ્રિયો આત્માને વશ વર્તે. દર્શનાવરણને કારણે વિષયમાં કુતૂહલ પેદા થાય છે. પછી તેમાં રસ આવે છે, અને તે પ્રમાણે ક્રિયા કરવાથી આવરણ ગાઢ થાય છે. પદાર્થ માત્રને સાક્ષીભાવે જુએ અને તેની હેય, ઉપાદેયતા સમજે તો વિષયોથી ભાવમન પાછું પડે. એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય, દેવ નારક સર્વને આવરણ હોય. આત્મા સમયે સમયે સક્રિય છે. અજ્ઞાન એ આવરણ છે કે તેથી સમયે સમયે ઉપયોગ રહેતો નથી. કેવળજ્ઞાનીનું જ એ સામર્થ્ય છે. પુદ્ગલ સાથેનો સંબંધ અત્યંત શુદ્ધ હોવાથી જ્ઞાનીના આત્મપ્રદેશે ધક્કા લાગતા નથી. આથી કેવળી ભગવંતોના દેહ આત્મપ્રદેશથી છૂટા પડ્યા પછી પડી જતાં નથી છેલ્લી જેવી મુદ્રા હોય તેમ જ રહે છે. કેવળ આત્મપ્રદેશનો ધન સમૂહ એકજ સાથે નીકળી સીધો સિદ્ધશીલા ઉપર સ્થિત થાય છે. સંસારી જીવની વૃત્તિઓ ચંચળ, યોગ ચંચળ, ઉપયોગ અસ્થિર અને અશુદ્ધ હોવાથી આત્મપ્રદેશ છૂટતાં શરીર ખેંચાય કે પડી જાય છે. કે પહેલેથી પડેલું હોય છે. સંસારીની અને કેવળી ભગવંતોની સૂક્ષ્મ એવી દરેક ક્રિયામાં આવો ફરક હોય છે. સંસારી મોટો સમય ઓઘભાવે કે પ્રમાદથી ગાળે છે. અને ધાર્મિક ક્રિયા કરે છે તે પણ રૂઢિ પ્રમાણે અનઉપયોગ દશાએ કરે છે. ઉપધાન સ્વરૂપ અવલોકન ૧ ૧ ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy