SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ તેમનો વચનાતિશય યોજન સુધી સંભળાય, સૌના હૃદયમાં સોંસરો પેસી જાય. દરેક પોતાની ભાષામાં સમજે. સૌ સમાનભાવે પર્ષદામાં બેસે. જિને કહેલી આજ્ઞા ધારણ કરે તે જૈન. અથવા જૈન માત્રે તે આજ્ઞા ધારણ કરવી જોઈએ. પ્રભુની ઉપદેશ શૈલી લાક્ષણિક અને વિલક્ષણ હોય. તેને અનુભવવી તે સપુણ્ય છે. તેનાથી શ્રુતજ્ઞાનના અધિકારી થવાય. જ્ઞાનમાં ગુરુત્વ હોય તે ગુરુ. તેમાં હેતુ, અર્થ અને સિદ્ધિની ગવેષણા હોય અને મન, વચન, કાયાની સ્થિરતા હોય. જેટલા ઉપયોગ, વિચારણા શુદ્ધ તેટલું દર્શન શુદ્ધ, તેની પરંપરા થતાં ક્ષાયિક ભાવે પહોંચાય. કામ અઘરું છે પણ પરિણામ મહાન છે. પંચેન્દ્રિયના વિષય સેવનથી પ્રકૃતિની જડ જીવમાં રહેલી છે. તે એક એકને સુધારવા જાય તો ઘણા ભવો જાય. તેને માટે સરળ ઉપાય એ છે કે માર્ગે ચઢવું, સ્વરૂપમાં સ્થિર થવું. જો દિશા જ ઊંધી હશે તો મહેનત નિરર્થક જશે. અંશે પણ હેતુ સિદ્ધ થાય તો અનુભવ થાય અને ઉલ્લાસ વધે. તેમાં શ્રદ્ધાની પ્રતીતિએ નિર્ણય થયો તો તે નિર્ણયની શક્તિ એ આત્માનો જ્ઞાન ગુણ છે. શબ્દકળા, વાક્ચાતુર્ય કે સ્મૃતિ એ જ્ઞાન નથી. ગ્રંથનું જ્ઞાન મેળવીને પણ આત્મની શ્રદ્ધા ન હોય તેવું જ્ઞાન ભ્રમ છે. જગત માયા છે એમ કહીને માયામાં પડે. બ્રહ્મસ્વરૂપ હોય તેને અવતરવાની શું જરૂર ? પોતે અવતરે તે બીજાને કેવી રીતે મુક્ત કરાવે ? જ્ઞાનીના માર્ગે કર્મમળને સ્વબળે નાશ કરે ત્યારે બ્રહ્મરૂપ થાય. સજ્ઞાન જ ભવાંતરમાં સાથે આવે. સઘળા વિષયો જીવનમાં ભજવાઈ ગયા. તેને પછી ફરી ગ્રહણ ન કરે, ત્યારે સત્જ્ઞાન પ્રગટે. ઘાતી કર્મો ક્ષય થતાં બે ઘડીમાં કેવળજ્ઞાન પ્રગટે. એ જ્ઞાન સહેલાઈથી પ્રાપ્ત ન થાય. શાસ્ત્રાભ્યાસ માટે પણ વર્ષો જાય. તેમાં જ્ઞાન અજ્ઞાનનો નિર્ણય થાય. દર્શન શું ને આવરણ શું ? તેનો ભેદ સમજાય. અનુભવ વધે, નિર્ણય થાય. આ જ્ઞાનની મહત્તા એ છે કે એક આત્મજ્ઞાન થતાં સર્વજ્ઞાન પ્રગટે છે. જ્ઞાન સ્વયં પ્રકાશ છે. આઠ પ્રકારના કર્મ આવરણમાં દર્શન અને જ્ઞાનનું આવરણ ચેતનને થાય છે. બીજા છ પુદ્ગલ, જડના સંયોગી છે. અજ્ઞાન છોડવા માટે તેને જાણવાનું છે. જો તેનું ભાન ન હોય તો શાન સત્તાધન થવાને બદલે અહંકાર અને પાખંડમાં લઈ જાય. ૧૧૦ Jain Education International For Private & Personal Use Only સ્વરૂપ અવલોકન www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy