SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્પન્ન થાય. ઈઢિયાધીન જ્ઞાન પરોક્ષ જ્ઞાન છે. અને તેથી તેની ગમે તેટલી શક્તિ હોય તો પણ અજ્ઞાન રહેવાની શક્યતા છે. કારણ કે ઈદ્રિયો બાહ્ય વિષયને ગ્રહણ કરે છે તેથી તેના સંકલ્પ-વિકલ્પમાં પડતા રાગદ્વેષ જેવા ભાવો ઊઠે છે. જીવ આશ્રવ જન્ય વિભાવમાં પડે છે. સંવર ક્રિયાથી જીવ કંઈક ધર્મમાં આવે છે, અને ત્યાં સ્થિર રહેતો નિર્જરામાં જઈ કર્મભારથી હલકો થાય છે. જ્ઞાન-અજ્ઞાન, સ્વ-પર આત્મા-દેહના નિર્ણય કરવાનો વિવેક પ્રથમ ભૂમિકા છે. અજ્ઞાન પુદ્ગલજનિત પદાર્થની ઓળખાણ કરાવે, જ્ઞાનમય ઉપયોગ આત્માની ઓળખાણ કરાવે. સમકિતીને જેમ જેમ જ્ઞાન પ્રગટે તેમ તેમ ઋજુતા, સરળતા, સમતા જેવા ગુણો પ્રગટતા જાય. અજ્ઞાનીના હાથમાં જ્ઞાનનાં સાધન આવે તો ય તે તેને અહંકાર, માન, આડંબરમાં લઈ જાય. શાસ્ત્રનાં દષ્ટાંતોનો સાર ગ્રહણ ક્રવો. પડતી વૃત્તિને સ્થિર રવી. પણ એમ ગ્રહણ ન ક્રવું કે ચૌદ પૂર્વધર જેવાને માન થયું તો આપણે કોણ? જો એવા મહાજ્ઞાનીઓ જરા જેવા પ્રમાદથી ચૂક્યા તો આપણે સંસારી પ્રમાદનું જ સેવન કરીશું તો ભવ ભ્રમણથી ક્યારે છૂટીશું ? દષ્ટાંત એકાંતે ગ્રહણ કરવાથી અભિનિવેશ આવે. કાર્યક્રણ ભાવને શાસ્ત્ર અનુસાર ગ્રહણ ક્રવા. જ્ઞાની જ્ઞાનથી પડયા કે પ્રમાદથી તે વિચારવું. ચૌદ પૂર્વધર હતા એટલે પડયા કે અહંકારથી પડયા તે વિચારવું તો આપણો અહંભાવ મંદ થાય. અને નબળી વૃત્તિઓને પોષણ ન મળે. સમ્યગજ્ઞાન-આત્મજ્ઞાનનું માહાભ્યઃ એકવાર સમકિતની સ્પર્શના થાય પછી અર્ધપુદ્ગલ પરાવર્તન સમયની મર્યાદા આવે છે. તરતમતા પ્રમાણે ભવાંતર વધે-ઘટે. શ્રુતજ્ઞાન એ જ્ઞાની પુરુષનું સત્કથન છે, તેની શ્રદ્ધાથી, સમજથી દર્શનાવરણ મંદ થાય. જ્ઞાની પુરુષોએ રાગદ્વેષાદિ કર્મોનો અત્યંતપણે ક્ષય કર્યો હતો, તે તેમની મહાનતા છે. તીર્થકર પ્રભુનું અતિશયપણું તે અત્યંતશુદ્ધ પુણ્યબળ છે. સામાન્ય કેવળીને તેમ નથી. પ્રભુને અગિયાર તો ભાવાતિશય હોય છે. ઓગણીસ દેવકૃત હોય. આ ઉપરાંત વચનાદિના અતિશયો સહિત અનંત અનંત સામર્થ્ય પ્રગટેલું છે. બારમા ગુણસ્થાનક પછી આવી પૂર્ણતા આવે. તેરમાએ ચાર ઘનઘાતી કર્મોનો અત્યંતપણે ક્ષય થવાની સૂચકતા છે. પ્રભુના આ અતિશયો જગતને કલ્યાણકારી છે. જેમકે - - સ્વરૂપ અવલોકન Jain Education International ૧૦૯ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy