SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ચોસઠ હજાર રાણીઓ હોય, પણ ચક્રવર્તી કયાં તો એકાવતારી હોય અને કવચિત નરકગામી હોય તો તેના રહસ્યને સમજવાને બદલે રાણીઓનું સુખ કેવું મોટું તેની વિચારણા ચાલે. આમ વિવેકશૂન્ય જીવ શાસ્ત્રની કથા સુણીને પણ બોધ ન પામે. અને વિવેકી જીવ જો પ્રબળ પુરુષાર્થી હોય તો બે ઘડીમાં મુક્ત થઈ જાય તેવું શાસ્ત્રમાં વર્ણન છે. પોતે ધર્મ છે એમ માનવા લાગ્યો ત્યાં વિવેક ચૂક્યો. એક શબ્દનો ઉપયોગ પણ સભાનપણે કરવો. ધર્મ એ શૂરાનું કામ છે, સતત ઉપયોગ કોણ રાખી શકે? કાયરનું એ કામ નથી. આહાર અને નિદ્રાની સમાલોચના કરવાનું કારણ આ બંને આવરણમાં મુખ્ય ભાગ ભજવે છે. આહાર એ સર્વ ઈદ્રિયોનું પોષણ બળ છે. આહાર વગર આંખો ઊંડી ઊતરી જાય છે. શ્રવણમાં ધ્યાન રહેતું નથી. ભૂખ્યા શ્વાસ લેવામાં કષ્ટ પડે છે. અને શરીર શિથિલ થઈ જાય છે. અનિદ્રાનું પણ અસુખ લાગે છે. વધુ પડતો આહાર ઈદ્રિયોને ઉત્તેજિત કરી પ્રમાદ કરાવે છે. આથી આહાર અને નિદ્રા સપ્રમાણ સેવવા. જેથી સ્વાધ્યાયાદિમાં જીવ ઉપયોગથી વર્તી નિર્જરા કરી શકે. દર્શનાવરણ અને જ્ઞાનાવરણ ગાઢ બન્યું તો મોહનીય વગેરે તો જીવને ઘેરી જ લેશે. આહારમાં સંયમી બની કાળક્રમે અનાહારકનું લક્ષ રહેવું જોઈએ. આહાર અને નિદ્રાની આવશ્યકતા ખરી પણ તેમાં સુખ માનવું તે દર્શનશક્તિને આવરણ છે. સતુધર્મક્રિયાથી થાકવું કે ખેદ કરવો તે આવરણ છે. વ્યવહાર અને ધર્મ બંને આવરણરૂપ બને તો જીવ છૂટે કયારે? જીવ જ્ઞાન અને અજ્ઞાનનો નિર્ણય જ કરી શકતો નથી. આંખથી પદાર્થ જોવો તે માત્ર જ્ઞાન નથી. દ્રવ્યમનની લબ્ધિ-શક્તિનું તે કાર્ય છે. આંખનો ગુણ જોવાનો છે. તે ચૈતન્યના ઉપયોગને કારણે પદાર્થને જોઈ શકે છે. તે વ્યવહારિક જ્ઞાન થયું. નિશ્ચયથી તો શુદ્ધ ઉપયોગ દ્વારા તેના અર્થ તથા હેતુને જેવા છે તેવા જાણે તે જ્ઞાન છે. અશુદ્ધ ઉપયોગ, વિભાવભાવ, સંકલ્પ વિકલ્પ માત્ર અજ્ઞાન છે. કેવળ શુદ્ધ ઉપયોગ જ્ઞાનમય છે. કર્મ તે બંધ છે અનધ્યવસાય તે અજ્ઞાન છે તેનાથી છૂટવું તે જ્ઞાન છે. સંસારીને અજ્ઞાન સહજ છે તેમાં પરિવર્તન કરી જ્ઞાન પ્રગટાવવા પુરુષાર્થ કરવાનો છે. વિષયોમાં ઈદ્રિયોની લબ્ધિ-શક્તિ અને મનનો સહારો હોય છે. સ્વભાવગત જ્ઞાન પ્રગટવા લાગે છે ત્યાર પછી અવધિજ્ઞાન જેવી શક્તિ ૧૦૮ Jain Education International સ્વરૂપ અવલોકન www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy