SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ વધ્યો. અરે ઘણાંને તો ત્રણ કે ચાર વખત ખાવા છતાં ઉદરપૂર્તિ થતી નથી. ખરેખર તો એ આસક્તિરૂપ રોગ છે. મુનિ તો કવળાહારી હોય. તપ આહારના નિયમન માટે છે. તપ પછી એવો વિવેક જન્મે કે આહારનો સંયમ સહજ થાય. જીવ ઈંદ્રિયાદિ સાધનો દ્વારા વ્યવહાર કરે છે. શરીરાદિ આહારથી પોષાય છે. તે આહાર જો શુદ્ધ ન હોય તો જીવ પ્રમાદી થાય છે. અને તેથી દર્શનાવરણ જ્ઞાનાવરણ બંધાય. આ બે કર્મ તરફ જીવ જાગૃત રહે તો અન્ય કર્મ ગાઢ થતાં અટકે. યોગી આહાર એવા પ્રકારે લે છે કે સ્વાધ્યાયાદિમાં પ્રમાદ ન થાય. જગતના જીવોએ આહારને સુખનું સાધન માન્યું છે. તેમાંથી અનેક વૃત્તિઓ જાગે છે, પોષાય છે, વિકૃતિ થઈ આવરણ લાવે છે. સૌ પ્રથમ તો વિવેકશૂન્ય આહાર પ્રમાદ લાવે છે. આહાર પણ ઉણોદરી સહિત કરે તો તપરૂપ બને. ઉપયોગપૂર્વક શરીરના પોષણ પૂરતું લેવાય તો આહારની ક્રિયા બંધન કર્તા નથી થતી. જૈનેતર ઋષિ અને જૈન મુનિના માર્ગ કથંચિત એક હોવા છતાં વ્યવહાર જુદા છે. મુનિનો વ્યવહાર વધુ શુદ્ધ હોય છે. બંનેના તપમાં ફરક છે. ઋષિ શરીર નિભાવવા ખાય પણ કંદમૂળાદિ ખાય તેમાં આહારની શુદ્ધિ ન જળવાય તેવા ઋષિઓ યમ નિયમ સાધી શકયા, ધ્યાની બની શકયા પણ કષાય વિજયી બની ન શકયા. મુનિના આહારમાં શુદ્ધતા વધુ હોઈ કષાય વિજયી બની શકે. આહાર સાથે વૃત્તિઓનો ગાઢ સંબંધ છે. આથી આહારમાં ખોરાકની મીઠાશનો અનુભવ છૂટતો ગયો અને રસને માણવા ઉપરસ મસાલા આદિનું સેવન વધી પડયું. રસત્યાગનો સંયમ ઘટતો ગયો. આયંબિલ જેવા તપમાં પણ વિવિધતા આવી. રસના સંયમને બદલે વિસ્તાર થાય તો આવરણ કેમ દૂર થાય ? જેમ એક દૃષ્ટિનો વિકાર ચક્ષુ ઉપરાંત બીજી ઈદ્રિયોને આવરી લે તેમ સ્વાદેન્દ્રિયની વિકૃતિ બીજી ઈંદ્રિયોને સાથે લે. જીવ વધુ પ્રમાદી બને અને ઉપયોગ ચૂકે. ઉપયોગ રહિત યોગો ચૈતન્યની શું સેવા કરે ? ચૈતન્યની સાચી સેવા જ્ઞાની જ કરી શકે. પુદ્ગલભાવે પુદ્ગલની જ સેવા થાય. તો ય પુદ્ગલ સાચવી ન શકાય. વ્યવહારથી માનવ માનવની ચાકરી કરે પણ જો આત્માર્થી હોય તો તેના આત્માભાવનું સ્મરણ કરાવે, કે દેહ તો રોગનું સ્થાન છે જ. ૧૦૬ Jain Education International For Private & Personal Use Only સ્વરૂપ અવલોકન www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy