SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ છે. કલ્પિત સુખ માત્ર આવરણ છે. સત્ ઉપયોગ તે જ સુખ છે. ભોગરૂપ સુખની ઈચ્છાને કારણે ઈદ્રિયો આવરણને નોતરે છે. કર્મના ઉદય સમયે ઈદ્રિયોની ઉત્તેજના મળતાં પ્રમાદ અને કષાયથી જીવ ઘેરાઈ જાય છે. અને જ્ઞાન દર્શન ગુણ ઢંકાઈ જાય છે. પુણ્ય જયારે પુરું થાય ત્યારે અધોગતિમાં જવું પડે છે. કે જયાં દેહનું સાધન હોય પણ સંજ્ઞાબળ કામ ન આપે. સામાન્ય રીતે આ કાળમાં જીવને નિદ્રાનું દર્શનાવરણ હોય પણ તે આગળ વધીને પ્રચલા કે પ્રચલા પ્રચલા સુધી ન પહોંચે તેની જાગૃતિ રાખવી જોઈએ. નિદ્રામાં પણ કર્મ છોડતાં નથી. સ્વપ્નાદિથી જીવ સતત સંકલ્પ વિકલ્પમાં રહે છે તે કર્મ. નિદ્રા સુખરૂપ લાગશે તો આવરણ કેમ ઘટશે ? કેવળ વિસામારૂપ માની નિદ્રા સમયે યોગી અવસ્થામાં રહેવું. યોગીને બધા યોગ નિયંત્રિત હોય છે અલ્પ નિદ્રાથી તેઓ વિસામો મેળવી લે છે. અને છેવટે ઉજાગરદશાને ચાહે છે. કારણકે ઉપયોગની શક્તિ આત્માની છે. તેમાં શુદ્ધતા હોય તો થાક કોને લાગે છે? છતાં શરીરની શક્તિ મર્યાદિત છે તેને થાક લાગે તે માટે કંઈ કલાકો સુધી નિદ્રાની જરૂર નથી ! આપણે તો જીવનમાં ત્રીજો ભાગ નિદ્રાવશ થઈને રહીએ છીએ. અને તેમાં સુખ માનીએ છીએ. એ જ મોટું આવરણ છે. ઘણી નિદ્રા એ તો ટેવનું કારણ છે. સંસારી જીવ બીજા દૈહિક સુખ ભોગવવા નિદ્રા ઓછી કરશે, પણ આત્માના કલ્યાણ માટે નિદ્રા જતી નહિ કરે. આહાર અને આચાર નિદ્રાને અસર કરનારાં કારણો છે. અતિ આહારથી પ્રમાદ-નિદ્રા વધે છે. અને વિકાર વધતાં અનાચાર તરફ જીવ વળે છે. પૃથ્વીકાય આદિ સ્થાવર પદાર્થોને જીવ જુદી જુદી રીતે ગ્રહણ કરે છે. તે જ પ્રમાણે આહારમાંથી અણુઓ ગ્રહણ કરીને ઈદ્રિયો વિકાર ગ્રહણ કરે છે. અને તે પ્રકારના પુદ્ગલ પરમાણુઓ મનુષ્યાદિના દેહને ગ્રહણ કરે છે. આથી પૂર્વજનિત સંસ્કારને કારણે શરીર કોમળ, શુષ્ક કે મજબૂત હોય છે. સમકિતી દિનચર્યાને વ્યવસ્થિત રાખે છે. નિદ્રાને સુખ ન માને. આહાર ઔષધવત્ ગણે. ઔષધ પ્રમાણસર લેવાય તેમ આહારને પ્રમાણસર લે છે. યુગલીયાના યુગમાં જીવો કલ્પવૃક્ષમાંથી એક ચણા જેટલો દાણો મેળવી તુષ્ટ થતાં. તે કાળ પૂર્ણ થતાં કાળક્રમે તેમાં પરિવર્તન થયું. ખોરાક સ્વરૂપ અવલોકન ૧૦૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy