SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ તેને સમભાવે દૂર કરે. અને જે જે દોષ થયા હોય તેને પ્રતિક્રમણના સમયે પૂરી એકાગ્રતાથી આલોચે. આસન, મુદ્રા, વર્ણ, અર્થ આલંબન અને એકાગ્રતા વગર કેવળ શબ્દ રટણ કરવાથી સમય પસાર થાય અને જો ભાવમન જોડાય તો આત્માનો શુદ્ધ ઉપયોગ તેમાં સ્થિર રહે, તે મહાનિર્જરા છે. વિધિ કરવા છતાં તેના યથાફળથી વંચિત કેમ રહેવું? આવી ક્રિયામાં વૃત્તિ સ્થિર રાખવા સમૂહબળ કે સંઘબળનું પ્રયોજન સહાય કરે. પણ દરેકે જાગૃત પોતે જ રહેવાનું છે. સમૂહમાં પ્રમાદ ઓછો રહે પણ જો ટીકા ટિપ્પણમાં પડે તો મેળવવાને બદલે ગુમાવે. આવી સક્રિયામાં પણ ઉપયોગનું શુદ્ધ રહેવું અઘરું છે તો પછી અજાગૃતાવસ્થામાં શું થાય? દરેક ક્ષેત્રમાં રાગનું પ્રધાનપણું વર્તે છે. રાગીને રાગ મળે પછી વિતરાગતા કેવી રીતે પ્રગટે? વિતરાગની પૂજા કરવા જાય અને ચમત્કારમાં કે બાહ્ય આંગી વગેરેમાં રસ આવે તો ત્યાં રાગ થાય. ગુરુની આજ્ઞા પાળવાને બદલે મારાપણું થાય તો ત્યાં રાગ આવે. દેવ ગુરુને નામે થતી ક્રિયામાં પોતાની શ્રીમંતાઈનો દેખાવ થાય તો તેવી ધર્મ ક્રિયામાં પણ રાગ આવે. આમ વિતરાગતા ભજવાને બદલે રાગદશા વધે. પ્રબળ પુણ્યદશા હોય તો જ રાગદશાથી છૂટે, નહિ તો દેશગુરુમાં ભ્રમિત થઈ જાય. અંતરના કષાયો અને બાહ્ય સંયોગો જીવની વૃત્તિને ચલિત કરે છે. અને જ્ઞાનાવરણ-દર્શનાવરણ વધતું જાય છે. સ્વાધ્યાય તથારૂપ નથી થતો. પૂર્ણશુદ્ધિની અપેક્ષાએ ઉપશમભાવ કે શુદ્ધિનું લક્ષ રાખવું. આહાર જેવી લાલસાથી દર્શનાવરણ બંધાય. કારણકે તેમાં સુખ માન્યું, તે પછી બીજી ઈદ્રિયો પણ તેમાં રસ લે. મતિ શ્રુતને શુદ્ધ કરે તો દર્શન મોહ ઘટે. મતિશ્રુત મોહરૂપ નીવડયું પછી જ્ઞાન કેવી રીતે ટકે? ઈદ્રિયોની લબ્ધિ (શક્તિ) તે જ્ઞાનેન્દ્રિયમાં નિમિત્ત કારણ છે. જેમ કે ચક્ષુથી પદાર્થ જોયો, તે ચક્ષુ ઈદ્રિયનો સ્વભાવ છે પણ તેમાં વિકલ્પ કરી ઉપયોગ જોડે ત્યારે સુખ કે દુઃખ ઉપજે તે આવરણ કરે. આવા આવરણને દૂર કરવામાં વ્યવહાર કે નિશ્ચય-શાની જરૂર છે? વ્યવહારધર્મમાં પણ શુદ્ધિ જોઈએ. તેમાં ત્યાગ, સંયમ, તપ, ધ્યાન વગેરેની મુખ્ય આવશ્યકતા છે. નિશ્ચયથી આત્મા શુદ્ધ છે પણ હાલ તે જેવો છે તેવો સ્વીકારી તેને મુક્ત કરવા માટે શુદ્ધ વ્યવહારની કે ક્રિયાદિની જરૂર છે. Jain Edulo International સ્વરૂપ અવલોકન For Private & Personal Use Only Vww.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy