SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ આવરણ એટલે વસ્તુને ઢાંકે. ઈદ્રિય અને વિષય સંબંધની લોલુપતાને કારણે જ્ઞાનદશા પ્રગટતી નથી કારણકે ઉપયોગ ત્યાં રોકાયેલો રહે છે. ઈદ્રિયના આવા આવરણને કારણે અતિઈદ્રિય (શુદ્ધ જ્ઞાન) જ્ઞાન ન થાય. સદેવ ગુરુની શ્રદ્ધા દર્શનાવરણને દૂર કરે કારણકે સદેવ ગુરુની પરમ શુદ્ધ સ્વરૂપદશા સહાય કરે છે. ગાઢ આવરણ હોય તો લાંબો કાળ નીકળી જાય આત્માના જ્ઞાનગુણને આવરણ લાગેલું છે તે દૂર થાય કે ઘટતું જાય તો જ્ઞાનનો ઉઘાડ થતાં સમ્યગુ વિચારણા પ્રગટે. દર્શનાવરણના ચાર ભેદ અનેક પાસાથી સમજવા અને જીવનમાં ઉપયોગ રાખવો. મન:પર્યવજ્ઞાનીને વિશેષતા હોવાથી દર્શનાવરણ નથી હોતું. અવધિજ્ઞાનમાં સામાન્ય ધર્મને જુએ છે તેથી ત્યાં દર્શનનું આવરણ છે. કેવળજ્ઞાનમાં સામાન્ય અને વિશેષ ધર્મ છે તેથી ત્યાં દર્શનાવરણ છે. આ આવરણ ફકત સંપૂર્ણ જ્ઞાનની અપેક્ષા પૂરતું જ છે. આવરણ તે ભારે કસોટી છે. ભૂત ભવિષ્યની કલ્પના વર્તમાનને કેમ સુધારે? પૂર્વકર્મના ઉદયકાળે જો સમકિત દશા હોય તો સન્માર્ગ મળે. કર્મની પરાધીનતા ન આવે. ક્ષાયિક સમકિતી નરકના મહાદુઃખમાં પણ ધીરજ કેમ રાખતા હશે? પુણ્ય ક્ષીણ થતાં સુખ છૂટી ગયું. દુઃખ પણ પોતાના કર્મનું કારણ છે. પૌલિક સંબંધ છે. સમભાવે ભોગવી લે. પ્રકૃતિ તેના ગુણ પ્રમાણે ક્રમે કરીને આવશે. ત્યારે ધીરજથી કામ લેવું, તો કર્મ થાકીને છૂટાં પડશે. અથવા રસહીન થઈ જશે. સંયોગ અને વિયોગમાં જો વૃત્તિ સ્થિર હશે તો આનંદ ટકશે. નિકાચિત કર્મો સાથે નાનાં કર્મો ભોગવાઈ જાય છે. પૂર્વના અજ્ઞાનનું વર્તમાનમાં દર્શન થાય છે, અને તેવાં કર્મો ઉદયમાં આવતાં આશ્ચર્ય થાય છે. એ સંબંધોનું ઋણાનુંબંધ ચૂકવવામાં જો ભૂલ થઈ તો પાછો રાગ કે દ્વેષ થતાં જીવ પરવશ થશે, અને આવરણ વધશે. જ્ઞાનીઓએ આ સર્વ દોષો બતાવી તેનાથી છૂટવાનું કહ્યું છે. જ્ઞાનીઓએ આપેલી વ્યવસ્થા પ્રમાણે ન ચાલે અને પોતાની મતિ કલ્પના પ્રમાણે સ્વછંદ આચરે તો દુઃખ પામે. જ્ઞાનીનું કથન કાર્યરૂપ છે. આચરણ કરતાં અનુભવ આવે અને પુરુષાર્થ વધે. તે પછી બંધ થાય તો પણ તે પુણ્યનો થાય કે જે માર્ગમાં સહાય કરે. વર્તમાનમાં પ્રબળ પુરુષાર્થ ન થાય તો પણ સહનશીલતાનો માર્ગ લઈ શકાય. તેમાંથી બળ મેળવી સ્વરૂપ અવલોકન Jain Education International ૧૦૩ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy