SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ - સૈકાલિક આત્મવિજ્ઞાન (૨) નિમિત્તકારણ : નિમિત્તકારણનો વ્યાપાર હોય છે, અને તેને બહારથી મેળવવા પડે છે. યા તો તથા પ્રકારનો યોગ હોય તો યોગાનુયોગ એવાં નિમિત્ત આવી મળે છે. નિમિત્તકારણમાં આત્માનું કર્તાપણું છે. વળી નિમિત્ત બે પ્રકારનાં છે. એક તો જડ નિમિત્ત એટલે કે ચરવળો-ઓઘો-મુહપતી-કટાસણું આસન-મંદિર-ગ્રંથ આદિ ઉપકરણો જેને કરણનિમિત્ત કહેવાય છે. બીજાં ચેતન નિમિત્ત છે જે દેવ ગુરુ-સાધર્મિક આદિ છે જેને કર્તા નિમિત્ત કહેવાય છે, અને તે આપણાથી ભિન્નક્ષેત્રે હોય છે. (૩) અસાધારણ કરણ : અપેક્ષા અને નિમિત્ત કારણને પ્રાપ્ત કરી, અંત:કરણની, મોક્ષપ્રાપ્તિને યોગ્ય તથા પ્રકારની (Development) શુદ્ધિ થવી, તે મોક્ષપ્રાપ્તિ અંગેનું અસાધારણ કારણ કહેવાય. ટૂંકમાં બહારના મંદિર-મૂર્તિ-આગમગ્રંથ-ધર્મ તથા દેવ અને ગુરુના નિમિત્ત કારણને પ્રાપ્ત કરીને અત્યંતરમાં ક્રોધ-માન-માયા-લોભ આદિ કષાયોનું ઉપશમન થવું અને રાગ-દ્વેષ રહિત થતાં જઈ નિસ્પૃહી બનવું તેને અસાધારણ કારણ કહે છે. કાર્ય એક તત્વ છે. જેનું અનંતરકારણ એક હોય છે. પરંતુ પરંપરકારણ અનેક હોય છે. કાર્યની સિદ્ધિ પૂર્વેનું અંતિમકારણ તે અનંત કારણ અને તેની પાર્શ્વભૂમિમાં રહેલા અન્ય કારણો તે પરંપરકારણ. સર્વજ્ઞતા અર્થાત કેવલજ્ઞાનની પ્રાપ્તિનું અનંતરકારણ તે વીતરાગતા, ક્ષપકશ્રેણિ છે. જ્યારે એની પૂર્વેના પરંપરકારણમાં ગુણસ્થાનક આરોહણ સમ્યકત્વ પ્રાપ્તિ આદિ છે. (૪) ઉપાદાન કારણ : ઉપાદાન કારણ એટલે આત્મા સ્વય. આત્માને મોક્ષ કરી શકે છે અને થાય છે. જેમ કે માટીનો ઘડો બને છે, કપડાનો ઘડે બનતો નથી. ઘડાકારે પરિણમનનો સ્વભાવ માટીનો છે. તેમ પરમાત્મ સ્વરૂપે પરિણમનનો સ્વભાવ આત્માનો છે માટે આત્માને ઉપાદાન કારણ કહેલ છે. ટૂંકમાં ઉપાદાન કારણ એ ગુણી દ્રવ્ય સ્વયં છે. જ્યારે અસાધારણ કારણ એ ગુણનો ગુણ છે. અથવા તો કહો કે મોક્ષનો ઇચ્છુક એ ઉપાદાનકારણ છે, જ્યારે મોક્ષની ઈચ્છા એ અસાધારણ કારણ છે. ઉપાદાન કારણ દ્રવ્ય પ્રધાન છે. જ્યારે અસાધારણ કારણ ગુણપર્યાય પ્રધાન છે. આમાં એક વિભાગમાં અપેક્ષા અને નિમિત્ત કારણ છે જેની ક્રમથી પ્રાપ્તિ છે, જ્યારે બીજા વિભાગમાં અસાધારણ અને ઉપાદાન કારણ છે જે યુગપદ્ પ્રાપ્ત થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004900
Book TitleTraikalik Atmavigyan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1994
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy