SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ પાંચ કારણ શુભાશુભ માનસિક, વાચિક અને કાયિક ક્રિયાને કર્મ કહે છે. એ જીવ અને પુલનું મિશ્રણ છે. કાશ્મણવર્ગણા (પુગલ) જ્યારે આત્મપ્રદેશ સાથે બદ્ધ સંબંધમાં આવે છે ત્યારે તે કર્મ રૂપે પરિણમે છે. (૪) પુરુષાર્થ (ઉદ્યમ) : જેમાં ફેરફાર કરી શકાતો હોય એમાં ફેરફાર કરવાની ક્રિયાને ઉદ્યમ કહે છે. મન, વચન, કાયાના યોગે કરેલી મળેલ સંજ્ઞા તથા બુદ્ધિ વાપરીને ઈષ્ટની પ્રાપ્તિ માટે કરાયેલો પરિશ્રમ તે પુરુષાર્થ અથવા તો ઉદ્યમ કહેવાય છે. ઉદ્યમ એટલે વીર્યંતરાયનો ક્ષયોપશમ, કે જે વર્તમાન કાળમાં છે અને વર્તમાન, એ ભવિષ્યકાળનું સપનું (કલ્પના) છે. વેદન તો માત્ર વર્તમાન સ્વરૂપ છે. ભવિષ્યકાળ અને ભૂતકાળ છે, એટલે સંબંધ છે. પરંતુ ઉપયોગ અર્થાત વેદનમાં તો માત્ર વર્તમાનકાળ જ છે. ભૂતકાળને ખતમ કરી, ભવિષ્યકાળને સુધારવાની તાકાત વર્તમાનકાળમાં રહેલ ઉદ્યમ-પુરુષાર્થ વીર્યશક્તિમાં છે. કર્મ અને ભવિતવ્યતા હોવા છતાં ઉદ્યમ વિના કાર્ય સિદ્ધિ નથી. જાગૃતિ એ ઉદ્યમ છે. ઉદ્યમથી ભવષ્યિનો અંત આણવાનો હોય છે. - પોતાના ભવિષ્યનો અંત આણવા માટે ઉદ્યમ કરવાનો છે. જ્યારે અન્યના ભવિષ્ય અંગે ભવિતવ્યતાથી વિચાર કરવાનો છે. તે તે જીવોના ભૂતકાળના ઈતિહાસને પણ તથા પ્રકારની ભવિતવ્યતાથી મૂલવવાનો છે. (૫) ભવિતવ્યતા (નિયતિ-પ્રારબ્ધ) : કેવલી ભગવંત (સર્વજ્ઞપ્રભુ) જે બનાવ અર્થાત ઘટના પ્રસંગ કે Event ને જે પ્રમાણે એમના જ્ઞાનમાં જોયો હોય અથવા તો જોતાં હોય તે જ પ્રમાણે તે બનાવનું નિશ્ચિત બનવું તેને ભવિતવ્યતા કહે છે. “ભગવંત જે પ્રમાણે જુએ છે તે જ પ્રમાણે થાય છે; તે ભગવંતની સર્વજ્ઞતા છે. જ્યારે “જે પ્રમાણે થાય છે તે જ પ્રમાણે ભગવંત જુએ છે. તે ભગવંતની વીતરાગતા છે. નિષ્ણયજનતા, નિર્મોહિતા, નિરપેક્ષતા માધ્યસ્થતા છે. જે ફરનાર નથી, જે ટળનાર નથી, જે નિશ્ચિત છે અને જે અવશ્યભાવિ છે તે ભવિતવ્યતા છે. સ્વભાવ અનાદિ-અનંત સિદ્ધ છે. સ્વભાવ અક્રમથી છે. ભવિતવ્યતા એ બનાવ-ઘટના Event છે. એની શરૂઆત (આદિ) છે અને તેનો અંત પણ છે. ભવિતવ્યતા ક્રમથી હોય છે. બનાવ બને ત્યારે ઉત્પાદ અને બનાવ પૂરો થાય ત્યારે વ્યય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004900
Book TitleTraikalik Atmavigyan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1994
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy