SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ વૈકાલિક આત્મવિજ્ઞાન ૧૦ સત્ય હકીકત તો એ છે કે આપણને આપણા જ મિથ્યાત્વ અવિરતિ-કષાય નડે છે. આપણે એને જોતાં નથી, એની પીડા અનુભવતા નથી અને તેનું નિવારણ કરતાં નથી. સંસારમાં દરેકને અરસપરસ એકબીજાના મિથ્યાત્વાદિ નડે છે. પરંતુ એમાં બીજાના નિમિત્તથી આપણને નડે છે. પણ વાસ્તવમાં ઉપાદાનથી તો પોતાના જ પોતાને નડે છે અને પીડે છે. તેમ અન્યના મિથ્યાત્વાદિ પણ અન્યના સંપર્કમાં આવતાં આપણી પીડામાં તે વધારો કરે છે. જ્યારે જે શુદ્ધ છે, પૂર્ણ છે, તેવાં તીર્થંકર ભગવંતોને, કેવલી ભગવંતોને તો પોતાને મિથ્યાત્વ અવિરતિ કષાય છે જ નહિ અને તેથી કરીને તેની તેઓને પીડા કે નડતરનો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી, તેમ મિથ્યાત્વાદિ જેમના જાગતા છે તેમની પણ તેમને નડતર નથી કે તે તેઓને પીડારૂપ થતાં નથી. ચંડકૌશિક નાગના કષાયે તીર્થંકર પરમાત્માનું શું બગાડયું ? કાંઈ જ નહિ! ‘બળતું બળતાને બાળે અને સ્વયં પણ બળે,' અંદરમાં પોતાના મિથ્યાત્વઅવિરતિ કષાય છે એટલે જ બહારમાં બીજાના મિથ્યાત્વાદિ પોતાને નડતરરૂપ અને પીડારૂપ થાય છે. પાર્શ્વનાથ પ્રભુએ આવી કમઠ તાપસને લાકડામાંથી નાગ-નાગણનું જોડું કાઢી બતાવ્યું, કમઠ તાપસ શરમિંદો થયો પણ પાર્થપ્રભુને એનો હરખશોક ન થયો, વળી જ્યારે કમઠ તાપસે મેઘ-માળીના ભવમાં પાર્શ્વપ્રભુને ઉપસર્ગ કર્યો, ત્યારે ય પ્રભુ તો મિથ્યાત્વ ભાવમાં હતાં જ નહિ એટલે સમભાવમાં રહી શક્યા અને વિરતિવંત હોવાથી નિષ્કષાય રહ્યાં. ‘‘પિંડે સો બ્રહ્માંડે” એ ઉક્તિથી પંડમાં એટલે કે પિંડમાં (પોતામાં) તે બ્રહ્માંડમાં, પોતામાં મિથ્યાત્વ-અવિરતિ-કષાયના ભાવો પડયા છે, તો પોતે પોતાથી દુ:ખી થશે, જગતથી પણ દુઃખી થશે અને વળી જગતને પણ દુઃખી કરશે. આપ મૂએ પીછે ડૂબ ગઈ દુનિયા' એ યથાર્થ જ કહ્યું છે. આપણે સુધર્યા તો જગત સુધર્યું. આપણે જો મિથ્યાત્વ અવિરતિ કષાયમાંથી સમ્યક્ત્વ સ્વરૂપ (સત્ સ્વરૂપ) અવિનાશી પૂર્ણ અને પ્રશાંત થઈશું તો પછી આપણા માટે સમસ્ત જગત-બ્રહ્માંડ સુધરી જ ગયેલું છે, કેમકે અગાઉ તીર્થંકર પરમાત્માના દૃષ્ટાંતથી જણાવ્યું તે મુજબ અવિનાશી-પૂર્ણ-પ્રશાંત સ્વરૂપી આત્માનું, પછી જગતનો કોઈ જીવ ભલે તે મિથ્યાત્વાદિથી પીડાતો હોય તોય, કશું જ બગાડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004900
Book TitleTraikalik Atmavigyan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1994
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy