SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ જુએ છે તે બે કલાક પછી બદલાઈ જાય છે. માનવ જીવનમાં પણ કેટલી, અવસ્થાઓ બદલાય છે. સંબંધો કેવા પરિવર્તનશીલ છે. ક્ષણમાં રાગ ક્ષણમાં દ્વેષ, આમ નિરંતર જીવ વ્યાકુળ જ રહે છે. આ ભાવનાઓના અનુપ્રેક્ષણનો ખાસ વિધિ નથી છતાં નિયમબદ્ધ રહેવા સહજ અને સરળ પદ્ધતિ રાખવી આવશ્યક છે. તે માટે નિયત સ્થાન, નિયત સમય રાખવો જરૂરી છે. સ્વચ્છ શ્વેત વસ્ત્રો પરિધાન ક્રવા. તે માટે સ્વચ્છ આસન સાદુ અને શ્વેત રાખવું. આસન પર પદ્માસન કે સુખાસને બેસવું. પ્રથમ મનને સ્થિર કરવા ઉંડા શ્વાસ લેવા. મનને વિકલ્પરહિત શાંત કરવું. જેથી ભાવનાના અનુપ્રેક્ષણ સમયે સ્થિરતા ટકે અને સુસંસ્કારોનું સિંચન થાય. દરેક ભાવનાના થોડા વાક્યો કંઠસ્થ કરવા. પછી એક કે વધુ ભાવનાનું ચિંતન ક્રવું સરળ થશે. અનુક્રમે દીર્ઘ અભ્યાસથી ચિત્ત શુદ્ધ થવાથી ઉપયોગ સ્વયં આત્માભિમુખ બનશે તે ભાવનાયોગની સિદ્ધિ છે. 0 0 | સારાંશ (હરિગીત) જીત્યો ભરતખંડ જે મણે તે ચક્રી પણ છે ના રહા, રાવણ માર્યો જેમણે તે રામ લક્ષ્મણ ના રહ્યા, સંપત સર્વ, સત્યભામા, રૂક્ષ્મણી, શ્રી કૃષ્ણ પણ તે ના રહ્યા, સુવર્ણની લંકા અને વળી રંગમહેલ પણ ના રહા, ઝઝૂમી મર્યા રણમાંહી તે રે લોભી કૌરવ ના રહા, તયું રાજ્ય, પાંડવ વનમહીં ઉપસર્ગો, અગ્નિ તણા સહ્યા, મોહનિંદથી તું જાગ ચેતન, જાગ રે તું જાગ રે બાર ભાવના ગુરુ વર્ણવે કૃપા ગ્રહી તારા પરે. Jain 1રયાસોnational For Private G rsonal Use Only curity.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy