SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કારથી મુક્ત રહેવું દુષ્કર છે. તેને સહસા અટકાવી શકાતું નથી. તેથી દેવગુરુના ગુણમાં મન જોડી પુરાણા સંસ્કારને દૂર કરવા. ચારિત્ર એટલે સાધુ દશા છે, જેમાં પાંચ મહાવ્રત, પાંચસમિતિ અને ત્રણ ગુપ્તિ, પાંચ શુદ્ધ આચાર જેવું આત્મિક બળ જોઈએ. એટલે સાધુજનો ગુરુકુળ સેવે છે. જ્ઞાન, ધ્યાન અને ગુપ્તિ, એમાં નિરંતર લીન રહે તો ચારિત્ર ભાવના ઉજ્જ્વળ રહે. ચારિત્ર એટલે આત્મરમણતા છે. “સમક્તિ વિણ ચારિત્ર નહિ ચારિત્રવિણ નહિ મુક્તિ, મુક્તિના સુખ છે શાશ્વતા, તે કેમ લહિયે યુક્તિ.' ચારિત્ર ભાવનાના બળ વગર જ્ઞાનદર્શનની નિર્મળતા વૃદ્ધિ પામતી નથી. તેથી ચારિત્રની વ્યવહારિક આરાધનામાં ઘણું મનોબળ જોઈએ છે. સમ્યગ્ ચારિત્ર એટલે સ્વમાં સ્થિતિ, સ્વરૂપમાં રમણતા, સ્વભાવ ત્યજી વિભાવમાં ન જવું તે સમ્યગ્ ચારિત્ર છે. કર્મોનો ક્ષય થવાથી આત્મા કૃતકૃત્ય બને છે. પછી તેને કંઈ કરવાનું રહેતું નથી. આયુષ્ય પૂર્ણ થતાં તે સિદ્ધ બુદ્ધ થાય છે તે જ્ઞાનાદિ ભાવનાનું આખરી પરિણામ છે. આત્મા સ્વયં જ્ઞાન સ્વરૂપ છે તેનું અંતિમ ચરણ જ્ઞાનરૂપે પ્રગટે છે. વૈરાગ્ય ભાવના : વાસ્તવમાં ચારિત્ર ભાવનાની ફળશ્રુતિ વૈરાગ્ય છે. વૈરાગ્યરહિત ચારિત્ર ન ટકે, ચારિત્ર વગર વૈરાગ્ય ટકે નહિ. ઈન્દ્રિયોના વિષયો પર સંયમ, આસક્તિરહિત મનોભાવના, તત્ત્વોનો અભ્યાસ અને ચિંતન, અને જગતના સ્વરૂપનો યથાર્થ બોધ જરૂરી છે. વળી આત્મજ્ઞાન વગરના વૈરાગ્યનું પરિણામ બાહ્માંડબર છે. ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નીજ ભાન.'' શ્રી આત્મ સિદ્ધિ શાસ્ત્ર, શ્રીમદ્ રાજચંદ્ર. જગત વિષયના વિકારથી ગ્રસિત છે. વ્યાકુળ છે. વળી દેહ છે, એટલે મન ઈન્દ્રિયો પણ છે. તેમાં પુરાણા સંસ્કાર છે. વિષયોના, વાસનાના સંસ્કાર કયારે પણ તૃપ્ત થતા નથી. એટલે સાધક જો રાગાદિથી મુક્ત વૈરાગ્યભાવનાથી વાસિત ન હોય તો સાધુતાના રાજમાર્ગે ચાલી શકે તેમ નથી. 66 - જગતના પદાર્થોનું સ્વરૂપ નિરંતર પરિવર્તનશીલ છે. પરંતુ પરભાવમાં રાચતા જીવને આ પરિવર્તનશીલતાનો ખ્યાલ આવતો નથી. જે સવારે ચિંતનયાત્રા Jain Education International ૯૧ For Private & Personal Use Only જ્ઞાનાદિ ભાવના www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy