SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪. જ્ઞાનાદિ ભાવનાઓ ધ્યાનદીપિકા ગ્રંથમાં આચાર્યશ્રી કેસરસૂરીજી પ્રકાશે છે કે જન્મ, જરા, મરણના ભય વડે વિશ્વ પીડાયેલું છે તે જોઈને અણગારો નિઃસંગપણું ધારણ કરવા ધ્યાનયોગમાં ભાવનાનો આશ્રય કરે છે. નિઃસંગપણા સિવાય મન નિશ્ચલ રહેતું નથી. વાસ્તવમાં નિઃસંગપણું તે મહાત્માઓનું આત્મધ્યાન છે. જે જીવમાં સમપણું હોય, આત્મસ્વરૂપના ચિંતનને માટે તે ઉત્સુક હોય, તે મનની શુદ્ધિ વડે વૈરાગ્ય પ્રેરિત ભાવનાથી ભાવિત થાય છે. જેમ ચાંદીના વાસણને સોનાનો પૂટ આપવાથી તે સોના જેવું થઈ જાય છે. તેવી રીતે અનાદિકાળથી પુલોના પરિચયથી, રાગદેષના ભાવથી જીવને બ્રાંતિ થઈ છે કે પોતે રાગાદિરૂપ છે. સાધક વિચારે છે કે મારો સ્વભાવ તો રાગાદિરૂપ નથી. તેથી તે આ ભાવનાઓ દ્વારા પૂટ લગાવી મનને રાગાદિ ભાવથી મુક્ત કરી સ્વભાવને ગ્રહણ કરવા જે ચિંતન કરે છે તે ભાવના છે. અનિત્યાદિ ભાવના ઉપરાંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્ય ચાર ભાવનાઓ છે. જ્ઞાનભાવના : આત્મ સ્વયં જ્ઞાન સ્વરૂપ છે. પણ પરપદાર્થોના પરિચયે સ્વભાવને ભૂલી ગયો છે. મનને જ્ઞાન વડે વાસિત કરવું તે જ્ઞાન ભાવના, જેમાં આત્મ સ્વરૂપનો નિર્ણય થાય છે તે સ્થિર થવામાં સહાયભૂત થાય છે. તેના સંસ્કારો મન ઉપર દઢ થાય તે માટે પ્રથમ ગુરુ પાસે જ્ઞાનના ગ્રંથો ભણવા, વારંવાર તેનો સ્વાધ્યાય કરવો અંતરચક્ષુની જેમ શાસ્ત્રચક્ષુ છે. માર્ગે લઈ જનાર અનુપમ સાધન છે. યદ્યપિ શાસ્ત્રજ્ઞાન તે દ્રવ્યશ્રુત છે. તેને સાધકે ભાવથુતરૂપે પરિણાવવાનું છે. આત્મા સ્વયં જ્ઞાન સ્વરૂપ છે તેવી શ્રદ્ધા વડે પરભાવમાં જતાં જ્ઞાનને સ્વ પ્રત્યે વાળી મિથ્યાજ્ઞાન ત્યજી સમ્યગજ્ઞાનની પ્રાપ્તિ માટે જ્ઞાનભાવના છે. દર્શનભાવના દર્શનભાવના સમ્યગુ દર્શનની કે સમક્તિ ભાવની દર્શક છે. તે મોક્ષના દ્વાર સમાન છે. સમક્તિરહિત જીવ અન્ય ગમે તેવા પ્રકારે સાધનાપંથે ચાલે તો પણ મોક્ષપંથે પહોંચી શકતો નથી. મોક્ષપંથે રાજા રંક, પંડિત કે અભણ, ઉંચા કે નીચનો ભેદ નથી, પરંતુ સ્વરૂપના ચિંતનયાત્રા ૮૯ જ્ઞાનાદિ ભાવના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy