SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યામતોની વાતો સાંભળી અવળો માર્ગ પકડે છે. ક્રોધાદિ કષાયોના અગ્નિમાં નિરંતર શેકાતો રહે છે. તે જીવોની દશા જોઈ હૃદયમાં કરૂણા લાવવી અને ચિંતવવું કે દેવગુરુકૃપાએ મને પુણ્ય સામગ્રી મળી છે તો નિશ્ચયથી મારા આત્માને સંસારથી મુક્ત કરું અને અન્ય જીવોને ધર્મમાર્ગે લઈ જવા પ્રેરણા આપી કરૂણાભાવના ભાવવી. દરેક જીવ ઉદય કર્મને આધીન છે. તેની પાસે તમારી માન્યતા પ્રમાણે વર્તવાની આશા રાખીને દુઃખી ન થવું પણ મધ્યસ્થતા રાખવી કે જવા દો સૌ સ્વકર્મને આધીન છે. જીવનમાં બધું જ મેળવ્યું, છ ખંડનું આધિપત્ય મેળવ્યું પણ પછી શું ? જે મેળવ્યું તે જો મૂકી જવાનું હોય તે શા કામનું ? બોધિદુર્લભ ભાવનામાં જ્ઞાનીજનો કહે છે તે બધું મેળવ્યું પણ જો બોધિ પામ્યો નહીં તો તું કંઈ જ પામ્યો નથી. અને જો બોધિ પામ્યો અને બીજું કંઈ ન પામ્યો તો પણ ઘણું પામ્યો. મૃત્યુ પછી બધું જ છૂટી જાય છે. તું ઈચ્છે કે ન ઈચ્છે છોડવું પડે છે. કારણ કે તે કશું આપણું હતું નહિ, છે નહિ, અને થવાનું નથી. હા, છતાં આપણી સંપત્તિ છે તેને કંઈ આંચ આવતી નથી. જીવ જયાં હોય ત્યાં તે હોય છે તે આ દુર્લભબોધિ છે, તે જ નિજી સંપત્તિ છે. વર્તમાનમાં તે આવરાઈને રહી છે. આવૃત્ત બોધિરૂપ સંપત્તિ માનવજન્મમાં શોધવી દુર્લભ છતાં સુલભ છે. “દર્શન દુર્લભ ના લભ કપા થકી” જન્મ અને મૃત્યુ પછી નરક કે તિર્યંચમાં જન્મ્યા છતાં તેનું અસ્તિત્વ અકબંધ રહે છે. તેની શોધ કરવી તેમાં મનુષ્યજન્મની સાર્થકતા છે તે આ ભાવનાનો સાર છે, બધી ભાવનાઓનું રહસ્ય એ છે કે સાધક આ ભાવનાઓથી ભાવિત થઈ સ્વરૂપાનંદને સ્પર્શ કરી લે. આ ભાવનાઓના મર્મને પકડી વિષયકષાયની જાળમાંથી મુક્ત થઈ જાય. પરપદાર્થોની આસક્તિની આગ બૂઝાઈ જાય. ભાવનાઓમાં રમણ ક્રતા સાધક આ જીવનમાં જ દિવ્ય મુકતાનંદનો સ્પર્શ કરી લે છે. તેનો કષાયાગ્નિ શાંત થઈ જાય છે. પર દ્રવ્યો પ્રત્યે આસકિત છે તે નષ્ટ થઈ જાય છે. અજ્ઞાનનું ઉન્મેલન થાય છે. અને હૃદયમાં બોધ-પ્રદીપ પ્રજવલિત થઈ જાય છે” (જ્ઞાનાર્ણવ.આ.શ્રી શુભચંદ્ર) બોધિ-સમ્યકત્વ તે આત્માનો ગુણ છે. તેનો સંબંધ આત્મા સાથે છે. જગતના બાહ્ય પદાર્થો સાથે નથી. તેથી બહારથી પ્રાપ્તવ્ય નથી. સ્વથી સ્વમાં જ પ્રાપ્ત છે. માટે આ ભાવનાનું એકાંતે ચિંતન, મનન, આરાધન કરી મળેલા અવસરને સાર્થક કરી લેવો. ચિંતનયાત્રા Jain Education International ८८ For Private & Personal Use Only દિ ચાર ભાવના www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy