SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિકૂળતાઓ સહી લેવાથી કમળ દૂર થાય છે. માઈવ : નમ્રતા. અહંકારથી અહિત છે. નમે તે પ્રભુને ગમે, તે સૌને ગમે. અહંકાર એમ નિવર્તન પામતો નથી માટે સત્સંગ, સંતનો બોધ ધારણ કરવો જેથી અહંકાર નષ્ટ થાય, નમ્રતા ધારણ થાય. આર્જવ : કોમળતા - સરળતા. માયા કરીને શું લઈ જવાનું છે? માટે સરળતા રાખવી. માયાથી ભેગું કરેલું ભેગું આવતું નથી. શૌચ : સંતોષ, લોભનો પ્રતિપક્ષ ગુણ છે. લોભના અનેક પાપો છે. તે વડે દુઃખ મળે છે, માટે સંતોષ રાખવો. તપ : શરીરને તપ વડે તપાવવાથી કર્મ તપે છે, બળે છે. આત્મશક્તિ વિકસે છે. માટે બાહા અત્યંતર તપ કરવું. ત્યાગ : ઈન્દ્રિયો અને મનને વશ રાખવા, ત્યાગ દ્વારા નિયમન કરવું. સત્ય : આચાર, વિચાર અને વાણીમાં સત્યને વળગી રહેવું. સત્ય આત્મશક્તિનું અંગ છે. સંયમ : મન, વચન, કાયાની અશુભ પ્રવૃત્તિને રોકવા શુભ આચરણ કરવું સંયમથી જીવને પવિત્ર રાખવો. શુદ્ધ ભાવનું લક્ષ રાખવું. બ્રહ્મચર્ય : નવ પ્રકારથી વાડયુકત વિષયવાસનાનો સંયમ કરવો. આચિન્ય ઃ અપરિગ્રહ - બાહ્ય વસ્તુનો ત્યાગ કરવો, સંયમના સાધનોમાં મર્યાદા રાખવી. દેહાદિના મમત્વનો ત્યાગ કરવો. સ્વભાવરૂપ ધર્મમાં કોઈ ભેદ નથી. નિશ્ચયરૂપે ત્રિકાળી શુદ્ધાત્મા સ્વાધીન છે. કર્મના સંયોગને કારણે ઉપચારથી આત્મા કર્મવશ પરાધીન મનાયો છે. કર્મસાપેક્ષ અશુદ્ધતા અને કર્મક્ષયથી શુદ્ધતા એવા ભેદ નિશ્ચયથી નથી પરંતુ સ્વસ્વરૂપનું જીવને ભાન ન હોવાથી અજ્ઞાનને કારણે આવા ભેદ છે. જે વ્યવહારનયથી સમજાવવામાં આવ્યા છે. તે ભેદની વિચિત્રતા જાણીને, વળી જે પરિભ્રમણનું કારણ છે તેવા કર્મ સંયોગથી મુક્ત થવા નિશ્ચયથી જીવે શુદ્ધાત્માનો આશ્રય ગ્રહણ કરવો. બીજા અવલંબનો ભૂમિકા પ્રમાણે જ્ઞાનીને કે સાધકને હોય છે, પરંતુ કર્મક્ષય તો શુદ્ધાત્માના આશ્રયે થાય છે. દાનાદિ તથા યતિ ધર્મ દર્શાવ્યા પછી હવે આત્માના સ્વગુણ સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યગુચારિત્ર છે. જે ગુણો દ્વારા જીવ સ્વધર્મમાં પ્રવેશ કરી, ત્રણેની એકતા સાધી શુદ્ધ પરિણતિ દ્વારા કેવળજ્ઞાન ચિંતનયાત્રા Jain Education International ૭૬ For Private & Personal Use Only ધર્મ પ્રભાવ ભાવના www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy