SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) કાયકલેશતપ : કાયાને કલેશ ઉપજાવવો તેવો અર્થ નથી. તપાદિ દ્વારા નિર્મળ પરિણામ થાય ત્યારે કથંચિત તપથી કાયા ક્ષીણ થાય તો તેની ચિંતા ના કરવી. શરીરનો ધર્મ જાડા પાતળા થવાનો છે. કોઈપણ બાહા તપ દ્વારા શરીરને સક્ષમ રાખવાનું છે. જેથી ઠંડી ગરમી કે અન્ય પ્રકારમાં આકૂળતા ન થાય. પરિણામ નિર્મળ રાખવા. આ તપ જ્ઞાનીઅજ્ઞાની સૌ કરે છે. તે બાહા તપ ભલે હો, પરંતુ જ્ઞાની તો નિરહંકારપણે વૈરાગ્યભાવનાયુક્ત હોવાથી નિર્જરા થાય છે. ગુરુજનોએ કરૂણા કરી કર્મક્ષય માટે આ ઉપાય બતાવ્યા છે તેનું ચિંતન કરવું, સેવન કરવું. અવ્યંતર તપના છ પ્રકાર : (૧) પ્રાયશ્ચિત તપ : એટલે ઈચ્છાઓનું શમી જવું, નિરોધ થવો. અંતરંગ પરિણામની વિશેષતાથી તે તપ અત્યંતર કહેવાય છે. જાણે અજાણે દોષ થાય તેનો પરિહાર કરવો. ગીતાર્થ ગુરુ સમક્ષ પ્રાયશ્ચિત લેવું તે પ્રાયશ્ચિત છે. જ્ઞાની નિરંતર જાગૃત છે છતાં છકાય જીવની રક્ષામાં કે અન્ય જીવોને દુઃખનું નિમિત્ત થતાં તે દોષનો પક્ષપાત ન કરતાં તેનો પરિહાર કરવો. વ્રત, તપ, સંયમ વગેરેમાં પ્રમાદથી જાણે અજાણે દોષ થઈ જાય તો તેને પોષવો નહિ પરંતુ પ્રાયશ્ચિત કરી પવિત્ર થવું. શુદ્ધ થવું. (૨) વિનયતપ : આ તપ માત્ર શરીરની ચેષ્ટા નથી કે માત્ર બાહ્ય દેખાવ નથી. વિનય અંતરંગ ગુણ છે, તે નિર્દોષ પ્રેમ, અંતરંગ શ્રદ્ધા અને નમ્રતા યુક્ત છે. તે કોઈના દોષ જોતો નથી. સ્વયંનો દોષ દૂર કરવા પ્રયત્ન કરે છે. શુદ્ધાત્માનો વિનય કરે છે. વળી ગુરુજન આદિનો ભાવપૂર્વક વિનય કરે છે. નિશ્ચયથી જડ અને ચેતનના ધર્મને સારી રીતે સમજી રાગાદિનો ત્યાગ કરે છે. નિશ્ચયથી વિનયનું ફળ ઉપદેશ શ્રવણની પ્રાપ્તિ તે વડે તત્ત્વજ્ઞાન છે, તત્ત્વજ્ઞાન વડે વિરતિ, વિરતિથી સંવર નિર્જરા છે અંતે ભવથી મુક્તિ. (3) વૈયાવૃત્ત : ગુરુજનો, જ્ઞાની, તપસ્વીની નિઃસ્વાર્થભાવે સેવા કરવી. તે અંતરંગભાવ બહાર દેખાતો નથી. યદ્યપિ બહારથી સેવા કરે અને અંતરંગ ભાવના ક્લિષ્ટ હોય તો તે નિર્જરાનું કારણ નથી. વૈયાવૃત્તનો મુખ્યભાવ તો સંસારના કારણોથી નિવૃત્તિ છે. વિભાવોના કારણોની ઉપેક્ષા છે, તેવા પુરૂષોની વૃત્તિ તે વૈયાવૃત્ત કહેવાય છે. વૈયાવૃત્તના દશ ક્ષેત્ર છે. જેમાં ચતુર્વિધ સંઘ, ગ્લાન, નૂતન સાધુજનો વગેરેનો સમાવેશ થાય છે. (૪) સ્વાધ્યાય : સ્વાધ્યાય કરનારની ચેષ્ટા દેખાય છે છતાં અંતરંગ અવસ્થા નિર્મળ હોવી તે અંતરંગ તપ છે. સ્વ-આત્માનું અધ્યયન, નિરીક્ષણ, આત્મચિંતન, આત્મશિક્ષણ જેમાં હોય છે તે સ્વાધ્યાય છે. જેના ભાવો ચિંતનયાત્રા નિર્જરા ભાવના ૬૪ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy