SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ હોય છે. બાહા તપ છતાં અત્યંતર દશા નિર્મળ હોય છે. () અવમોદર્ય : બીજું બહિરંગ તપ ઉણોદરી છે. અનશનની જેમ ઉણોદરી તપ વિચારણીય છે. બાહા તપ છતાં જીવના અંતરંગ પરિણામ શુદ્ધ હોવા કઠિન છે. ભૂખ લાગી હોય, ભાવતા ભોજન મળ્યા હોય, મુખમાં પાણી છૂટતું હોય અને ભૂખ કરતા ઓછું ખાવું? શું અનુભવ છે ? ભોગના પૂરા સાધન મળ્યા પછી થોડું ભોગવીને છોડી દેવા માટે આત્મવિશુદ્ધનું બળ જરૂરી છે અનશન ન કરી શકે તો ઉણોદરી કરી લેવું. (૩) વૃત્તિપરિસંખ્યાન તપ - વૃત્તિ સંક્ષેપ : ભોજન લેતા પહેલાં કોઈ નિયમ કે નિમિત્ત ધારણ કરવું કે આજે આ વ્યક્તિના હાથે ભોજન લેવું અથવા કોઈ અતિથીને જમાડીને ભોજન લેવું. ખાસ કરીને મુનિજનો અભિગ્રહ ધારણ કરે છે. તેમાં સામાન્ય રીતે વસ્તુઓ-ભોજનના દ્રવ્યોની સંખ્યા નક્કી કરવી. તેમાં પણ અંતરંગ પરિણામની વિશુદ્ધિ કઠિન છે. સંખ્યા નક્કી કરી પણ મનગમતી વસ્તુઓ ગ્રહણ કરી તો રાગાદિભાવનું પોષણ થતાં નિર્જરા સંભવ નથી. બાહ્ય તપમાં પણ અંતરંગ વિશુદ્ધિ હોવી જરૂરી છે. અનશન કે ઉણોદરી ન કરી શકે તો વસ્તુઓની મર્યાદા રાખજે. (૪) રસપરિત્યાગ: દરેક બાહ્ય તપમાં અંતરંગ પરિણામની વિશુદ્ધિ નિર્જરાનું કારણ છે. તમે ભલે તપસ્વી છો પણ આહાર રસપૂર્વક લો છો કે મધ્યસ્થી રહો છો ? તપની પૂર્ણાહુતિ પછી સ્વાદજય કેવો રહે છે ! રસના પ્રકાર પાંચ કે છ છે. તેમાં મીઠું નમકને તો આપણે રસમાં ગણતા જ નથી. કેમ? મીઠાઈ વગર ચાલે પણ રસોઈ મીઠા વગર ન ભાવે ને ! દૂધ, દહીં, ઘી, તેલ, ગળપણ અને મીઠું-નમક. બધા રસોનો ત્યાગ કયારેક થાય તો ઉત્તમ છે. અગર રોજ ક્રમથી એક એકનો ત્યાગ કરો. આ બહિરંગ તપ છે છતાં નિર્જરાનું કારણ છે, તેમ જ્ઞાનીજનોની અંતરંગ દશાની વિશુદ્ધિની સંભાવના છે. વૃત્તિસંક્ષેપ નથી કરી શકતો, તો પછી રસ ત્યાગ કરજે. (૫) વિવિક્તશય્યાસન તપ લીનતા : વાસ્તવમાં આ તપ એકાંત સ્થાનમાં રહીને જ્ઞાન ધ્યાનની આરાધના માટે છે. રાગાદિભાવથી દૂર રહેવા માટે છે. અથવા જે જે પૌદ્ગલિક પદાર્થોથી, ભોજનાદિથી, અનુકૂળ પદાર્થોની પ્રાપ્તિમાં સુખ ઉપજવું વગેરે નિમિત્તથી રાગાદિ વિકાર પેદા થાય છે, તેથી તપસ્વી જ્ઞાની પુરૂષો એકાંતમાં રહે છે. છતાં આ તપ ત્યાગી-સંસારી બધા ન કરી શકે. તે દેખાય તેવું છે. તેથી બાહ્ય તપ છે. તેનો સામાન્ય અર્થ છે કે બેસતાં કે સૂતાં અંગોપાંગ સંકોચી રાખવા. આસન જય કરવો કંઈ તપ નથી કરતો તો પછી આ તપથી દેહાધ્યાસ ઘટાડજે. ચિંતનયાત્રા નિર્જરા ભાવના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy