SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ય : મનુષ્યને મહામૂલી વાચા મળી છે તેને પુષ્પ જેવી કેળવો. પુષ્પ કોમળ, સુંદર અને સુવાસિત હોય તેમ વાણી પણ એવી હોવી જોઈએ. સત્ય છતાં હિત, મિત અને પ્રીતવાળી હોય. તપ : સકામ નિર્જરા માટે ઈચ્છા નિરોધ તે તપ છે. તેના બાર પ્રકારનું સેવન કરતા લક્ષ તો ઈચ્છાઓ શાંત થવાનું હોય. તપ, ધ્યાન અને સ્વાધ્યાય કરે છતાં ઈચ્છાઓ તો એજ પ્રકારે રહે તો તે બાલતપ છે. તેનાથી સકામ નિર્જરા ન થાય તો પરિભ્રમણ ટળે નહિ આહારાદિ દરેક વસ્તુઓની તૃપ્તિ થવી તે સંવર છે. તે તપ છે. (૯) બ્રહ્મચર્ય : દસ ધર્મમાં મહાન તપ છે. વાસ્તવમાં વાસનાઓનો ત્યાગ તે સ્થૂલ છે, પરંતુ ઉપયોગનું આત્મભાવમાં રમણ થવું કે આત્મામાં જેટલી સ્થિરતા તેટલી બ્રહ્મચર્યની દૃઢતા છે. તે માટે સાધુ કે સાધકે કામોત્તેજક આહાર કે લોકસંપર્કથી દૂર રહેવું. (૧૦) આર્કિચન્ય': અપરિગ્રહી સાધુને સંયમ પૂરતા પરિમિત ઉપકરણ સિવાય કંઈ જ ખપે નહિ. ઉપકરણ પણ પૌદ્ગલિક છે. તેના પ્રત્યે મૂર્છા તે મહાદોષ છે. ઓઘો સુંદર છે. પાત્રા સુંદર રંગવાળા છે. આંખને ગમે છે તેવો વિચાર પણ મૂર્છા છે. વસ્ત્રાદિની પણ ખૂબ મર્યાદા રાખવી. સાધક ભાવિ સાધુનાં ભાવવાળો હોય તેણે પણ ખૂબ મર્યાદા કરવી. ભૂતકાલીન પાપોને નષ્ટ કરવા અને વર્તમાનકાલીન પાપોથી દૂર રહેવા આ ધર્મપાલન અત્યંત જરૂરી છે. સંવર અંતર્ગત સંક્ષિપ્ત બાર ભાવના : વિકટ પંથ એવો મોક્ષ સંવર દ્વારા નિકટ બને છે. તે માટે ભાવનાઓથી ભાવિત થવું. આ ગ્રંથનું સત્વ અને તત્ત્વ બાર ભાવના જ છે. જેનું વિસ્તૃત વર્ણન અન્યત્ર કરેલું છે. પ્રસંગોચિત તેનો સંક્ષેપ આ પ્રમાણે છે. (૧) અનિત્યતા : આ સંસારમાં સર્વ પૌદ્ગલિક પદાર્થો, સર્વ સ્થાન અને પરભાવો અનિત્ય છે. તેમાં રાચવા જેવું શું છે ! તેનું ચિંતન કરવું. આત્મા નિત્ય શાશ્વત છે તે મારું સ્વરૂપ છે. અશરણતા ઃ જન્મ, મરણ, રોગાદિથી આ જીવ અશરણ છે તેનું ચિંતન કરી વૈરાગ્ય ભાવની વૃદ્ધિ કરવી. (૨) (૩) એકત્વ : હું એકલો જન્મ્યો, એકલો જ મરણ પામીશ. સુખદુઃખનો અનુભવ એકલો જ કરીશ. મારા આત્મા સિવાય મારું કોઈ નથી એમ ચિંતન કરવું. (6) (૮) ૫. ચિંતનયાત્રા Jain Education International ૫૮ For Private & Personal Use Only સંવર ભાવના www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy