________________
મુખ્યત્વે આ પરિષહ મુનિધર્મમાં છતાં વ્રતધારી શ્રાવકને પણ આવશ્યક છે. પરિષહ સહન કરવામાં રાગદ્વેષ ક્ષીણ થતા સંવર થાય છે. (૧) ક્ષુધા પરિષહ : નિર્દોષ આહારની અપ્રાપ્તિ છતાં સદોષ આહાર લેવો નહીં, પણ ક્ષુધા સહન કરવી.
(૨)
તૃષા પરિષહ : તરસ લાગે ત્યારે અળગણ કે સચિત પાણી પીવું નહીં, તૃષા સહન કરવી.
(૩) શીત પરિષહ : સખત ઠંડીમાં અગ્નિ જેવા સાધનોનો ઉપયોગ કરવો નહીં, ઠંડી સહન કરવી.
(૪) ઉષ્ણ પરિષહ : અતિશય ગરમી છતાં વાયુ કે પંખા જેવા સાધનોનો ઉપયોગ કરવો નહીં, ગરમીની પીડા સહન કરવી.
(૫)
દંશ પરિષહ : મચ્છર આદિના ઉપદ્રવથી ત્રાસ ન પામવો, સહન કરવું.
(૬) અચેલક પરિષહ ઃ મૂલ્યવાન વસ્ત્રો કે ઉપકરણ ન રાખવા, મલિન કે જીર્ણ વસ્ત્ર મળે તો ખેદ કરવો નહીં.
(૭) અતિ પરિષહ ઃ દુઃખમાં ઈષ્ટ વસ્તુની અપ્રાપ્તિમાં ખેદ ન કરવો. (૮) સ્ત્રી પરિષહ : સ્ત્રીના મનોહર રૂપાદિ જોઈ મોહ પામવો નહીં. (૯) ચર્યા પરિષહ : અપ્રતિબદ્ધ વિહાર કરવો. પ્રતિકૂળતા સહન કરવી. (૧૦) નિષદ્યા પરિષહ : સ્મશાન કે નિર્જન સ્થાનમાં ધ્યાન કરતાં ઉપસર્ગ થાય તે સહન કરવા.
(૧૧) શય્યા પરિષહ ઃ સંથારો કરવામાં જે પ્રતિકૂળતા આવે તે સહન કરવી.
:
(૧૨) આક્રોશ પરિષહ : કોઈના કઠોર વચન સહન કરવા. (૧૩) વધ પરિષહ : કોઈ મારે, પ્રહાર કરે તો સહન કરવા પણ દ્વેષ ન કરવો.
:
(૧૪) યાચના પરિષહ ઃ સંયમને યોગ્ય વસ્તુ મેળવવા શ્રાવકો પાસે સંકોચ ન રાખવો.
(૧૫) અલાભ પરિષહ : નિર્દોષ ભિક્ષા ન મળે તો ઉદ્વેગ ન કરવો. (૧૬) રોગ પરિષહ ઃ રોગ સમયે ઔષધ-સેવાની અપેક્ષા વગર સહન
:
કરવું.
(૧૭) તૃણસ્પર્શ પરિષહ : વિહારમાં કે સંથારામાં કાંટા વગેરેના સ્પર્શથી ક્ષોભ કે દુઃખ ન માનવું.
ચિંતનયાત્રા
Jain Education International
૫૬
For Private & Personal Use Only
સંવર ભાવના
www.jainelibrary.org