SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ મુખ્યત્વે આ પરિષહ મુનિધર્મમાં છતાં વ્રતધારી શ્રાવકને પણ આવશ્યક છે. પરિષહ સહન કરવામાં રાગદ્વેષ ક્ષીણ થતા સંવર થાય છે. (૧) ક્ષુધા પરિષહ : નિર્દોષ આહારની અપ્રાપ્તિ છતાં સદોષ આહાર લેવો નહીં, પણ ક્ષુધા સહન કરવી. (૨) તૃષા પરિષહ : તરસ લાગે ત્યારે અળગણ કે સચિત પાણી પીવું નહીં, તૃષા સહન કરવી. (૩) શીત પરિષહ : સખત ઠંડીમાં અગ્નિ જેવા સાધનોનો ઉપયોગ કરવો નહીં, ઠંડી સહન કરવી. (૪) ઉષ્ણ પરિષહ : અતિશય ગરમી છતાં વાયુ કે પંખા જેવા સાધનોનો ઉપયોગ કરવો નહીં, ગરમીની પીડા સહન કરવી. (૫) દંશ પરિષહ : મચ્છર આદિના ઉપદ્રવથી ત્રાસ ન પામવો, સહન કરવું. (૬) અચેલક પરિષહ ઃ મૂલ્યવાન વસ્ત્રો કે ઉપકરણ ન રાખવા, મલિન કે જીર્ણ વસ્ત્ર મળે તો ખેદ કરવો નહીં. (૭) અતિ પરિષહ ઃ દુઃખમાં ઈષ્ટ વસ્તુની અપ્રાપ્તિમાં ખેદ ન કરવો. (૮) સ્ત્રી પરિષહ : સ્ત્રીના મનોહર રૂપાદિ જોઈ મોહ પામવો નહીં. (૯) ચર્યા પરિષહ : અપ્રતિબદ્ધ વિહાર કરવો. પ્રતિકૂળતા સહન કરવી. (૧૦) નિષદ્યા પરિષહ : સ્મશાન કે નિર્જન સ્થાનમાં ધ્યાન કરતાં ઉપસર્ગ થાય તે સહન કરવા. (૧૧) શય્યા પરિષહ ઃ સંથારો કરવામાં જે પ્રતિકૂળતા આવે તે સહન કરવી. : (૧૨) આક્રોશ પરિષહ : કોઈના કઠોર વચન સહન કરવા. (૧૩) વધ પરિષહ : કોઈ મારે, પ્રહાર કરે તો સહન કરવા પણ દ્વેષ ન કરવો. : (૧૪) યાચના પરિષહ ઃ સંયમને યોગ્ય વસ્તુ મેળવવા શ્રાવકો પાસે સંકોચ ન રાખવો. (૧૫) અલાભ પરિષહ : નિર્દોષ ભિક્ષા ન મળે તો ઉદ્વેગ ન કરવો. (૧૬) રોગ પરિષહ ઃ રોગ સમયે ઔષધ-સેવાની અપેક્ષા વગર સહન : કરવું. (૧૭) તૃણસ્પર્શ પરિષહ : વિહારમાં કે સંથારામાં કાંટા વગેરેના સ્પર્શથી ક્ષોભ કે દુઃખ ન માનવું. ચિંતનયાત્રા Jain Education International ૫૬ For Private & Personal Use Only સંવર ભાવના www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy