SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થાત ત્રણ સમય પૂરતો હોય છે. ફકત સાતવેદનીયનો આસ્રવ આવે ને જાય પણ રસ કે સ્થિતિબંધ થતો નથી. ચૌદમાં ગુણસ્થાને નિરાસવ છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તે જઠરાગ્નિમાં પચીને સાત ધાતુમાં વહેંચાય છે. તેમ કાર્મણવર્ગણા જીવના સંબંધમાં આવીને સાત કે આઠ પ્રકૃતિમાં વહેંચાય છે. આહારનો કેટલોક અંશ જલ્દી બહાર નીકળે છે તેમાં શક્તિ ઓછી હોય છે. જે અંશો લાંબો વખત રહે છે તેમાં શક્તિ વધુ હોય છે. જેમ કે મળ મૂત્રમાં કંઈ બળ નથી તે કેવળ મળ જ છે. રૂધિરમાં કંઈક બળ છે. વીર્યમાં સર્વાધિક બળ છે. તે જેટલું વધુ ટકે તેટલું તેનું બળ વધુ, તે પ્રમાણે કર્મોનું છે. જેમાં કષાયનો રસ ઓછો તે કર્મનિષેકો જલ્દી નિર્ભર છે. જેમાં રસ અધિક તે ઘણા સમય પછી નિર્જરે છે. આસવ અનુપ્રેક્ષા સમજવાનો હેતુ આસવને રોકવાનો છે. રાગાદિ ભાવ, આસવભાવ, કષાયભાવ અહિતકર છે, હેય છે, ત્યાજ્ય છે. હું જ્ઞાનમય છું, આનંદમય છું તે ઉપાદેય ભાવ છે. મુનિજનો સર્વ વિભાવ ભાવને હેય માનીને સમભાવમાં રહીને નિરાસ્રવ થાય છે, સ્વરૂપમાં લીન રહેવું ને આસવથી મુક્ત થવું તે અનુપ્રેક્ષાનો સાર છે. શુભ કે અશુભ આસવ કર્મબંધનું કારણ છે. શુભાસ્રવ પુણ્યબંધનું કારણ છે. વળી બંધ કયારે પણ મુક્તિનું કારણ ન બને. માટે પુણ્યને ધર્મ ન માનવો, અશુભઆસવથી છૂટવા વચમાં પુણ્યયોગ્ય અનુષ્ઠાનો અવલંબન છે. જેથી મનુષ્યગતિ, આર્યક્ષેત્ર, દેવગુરુનો યોગ જેવા સાધનો મળે પરંતુ તે ફકત બાહ્ય અપેક્ષિત સાધન હોવાથી આખરે છોડવાના છે. પુણ્યાનુબંધી પુણ્ય સાધનરૂપે સહાયક બને માટે જીવે શુભ આસ્રવને ગૌણ કરી સંવર ધર્મની આરાધના કરવી. આસ્રવ ભાવના : (હરિગીત) જીવપ્રદેશમાં આવે વ્યાસવ, સરવરનીર યમ નીકમાં કેવળ બને કારણ પુદ્ગલ જીવના પરિભ્રમણના શુભ વા અશુભ આસવભાવ, ભાવી રહ્યો છે જીવ જે કર્તા બને પુણ્ય પાપનો વળી બંધનું કારણ બને દ્વાદશ અવિરત, યોગ પંદર, મિથ્યાત્વ પાંચ જે વર્ણવ્યા પચીસ કષાયો, મળી સત્તાવન, છે કારણ કર્માગમનનાં મોહભાવની મમતા તજી, વળી તજી દઈ પર પરિણતિ સંવૃત નિરાસવ જ્ઞાનીજનનું ધ્યેય મોક્ષ જ પ્રાપ્તિ. Jain Education International For Private & Personal use_only___ www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy