SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ પરિણામરૂપ પરિગ્રહ છે. આ તમામ મોહ અને મૂછજન્ય હોવાથી આસવના કારણ છે. કષાયયુક્ત આસ્રવ : તે ક્રોધ, માન, માયા, લોભ. મિથ્યાત્વાદિના આસવને સહાયક આ ચાર કષાય છે. તે આત્માના કલેશજનિત પરિણામ છે. રાગ-દ્વેષનો વિસ્તાર છે. જયાં સુધી જીવનો રાગાદિભાવનો સંક્ષેપ કે સંક્ષય નહિ થાય ત્યાં સુધી આ કષાયની જડ આત્મપ્રદેશોમાં વ્યાપીને રહેવાની છે. ક્રોધથી સૌજન્ય અને પ્રીતિનો નાશ થાય છે. માનથી જીવના નમ્રતા ગુણની હાનિ થાય છે. માયાથી જીવની સરળતા છૂટી જાય છે. લોભ તો પાપનું મૂળ છે. આ સર્વે આસવના કારણો છે. પ્રમાદ : આ કષાયો પ્રમાદનું કારણ છે, અથવા પ્રમાદવશ થતાં હોવાથી તેને કષાયમાં ગણ્યા છે. વળી ઈન્દ્રિયોના અસંયમ, અવ્રત પણ પ્રમાદવશ થતા હોય છે. પ્રમાદ એ અજ્ઞાનના જેવો દોષ છે તે આસવનું કારણ છે. યોગની વ્યાખ્યા આગળ બતાવી છે. આ યોગ શુભ અને અશુભ બંને પ્રકારે છે. અશુભયોગ અશુભ આસવ છે. ૧. મન, વચન, કાયાનો અસંયમરૂપ અશુભ યોગ. ૨. રાગ દ્વેષના પરિણામરૂપ અશુભ યોગ. ૩. માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય રૂપ અશુભ યોગ. સંસારમાં પદ્ગલિક પદાર્થો મેળવવા માટે અન્યને છેતરવા, સ્વાર્થ ખાતર કપટ કરવું, વાણી અને વર્તનમાં ભેદ પાડવો, ધર્મના ક્ષેત્રે તપાદિ કાર્યોમાં છેતરપીંડી કે કપટ કરીને સારું માનવું તે માયાશલ્ય છે. - કુવાદિની માન્યતા, લોકોત્તર દેવમાં લૌકિક ઈચ્છાપૂર્તિ તે મિથ્યાત્વશલ્ય છે. નિયાણું કરવું. ધર્મના અનુષ્ઠાન કરીને સાંસારિક સુખની ઈચ્છા કરવી. શલ્ય: મહાદોષ, કાંટો ભોંકાય તેવા તીવ્ર દોષ. (૧) રસગારવ : સ્વાદની લોલુપતા, ગૃદ્ધિ. ઋદ્ધિગારવ : તપાદિથી પ્રાપ્ત લબ્ધિનો માનાદિમાં ઉપયોગ. શાતાગારવ : શારીરિક સેવાની અપેક્ષા તેમાં સુખબુદ્ધિ. મોટા શ્રતધારો અને પૂર્વધરો પ્રમાદવશ આ અશુભ યોગમાં ફસાઈને આસ્રવ દ્વારા દુર્ગતિ પામે છે. (૩) Jain Edferta pitational For Private & sonal Use Only આસવ વિના.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy