SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ માતાના ગર્ભમાં પ્રથમ માસે માંસના લોચાની જેમ રહે છે. બીજા માસે પરપોટા જેવો બને છે, ત્રીજે માસે શરીર કઠણ બને છે. ચોથા માસે માંસ પિંડ આકાર લે છે. પાંચમા માસે હાથ, પગ, મસ્તક જેવા આકાર ફૂટે છે. છ માસે અંગોપાંગની રચના થાય છે. સાતમા માસે કેશ, રોમ, નખ આદિ બને છે. આમ સાત માસમાં દેહની પ્રક્રિયા પૂરી થાય છે. જો કોઈ સાત માસે જન્મ લે તો તેનું શરીર પર્યાપ્ત હોય છે. પાંચમે કે આઠમે માસે ગર્ભ બાળક હલન ચલન શરૂ કરે છે. અને નવ માસે બાળકને ગર્ભની બહાર નીકળવાની સંજ્ઞા થાય છે. માતા જન્મ આપતા પીડા ભોગવે છે. બાળક પણ જન્મ થતાં પીડા ભોગવે છે. અશુચિથી ભરપૂર યોનિમાં નવ માસ ઉંઘે મસ્તકે રહીને જન્મ ધારણ કરે છે. એટલે જાણે એને મલિનતા રૂચિ કે સદી ગઈ હોય તેવું લાગે છે ! જાણે કે તેને પુનઃ દેહ મળવાનો ન હોય તેમ સાચવે છે, શોભાવે છે. બુદ્ધિમાનો પણ મૂર્ખ ઠરે તેવું આ શરીર છે. માનવના ફકત મુખનો વિચાર કરો, જેને સજાવી તું દર્પણમાં જૂએ છે ત્યારે પણ એ મુખ પર સૌથી વધુ મલિન સ્થાનો છે. બે કાનમાં મેલ હોય છે. નાકના બે છિદ્ર લિંટથી ભરેલા હોય છે. બે આંખોમાં ચિકાશ ઝરતી હોય છે, મુખમાં નિરંતર લાળ ઝરતી જ હોય છે. એ સર્વે બહાર નીકળે ત્યારે મુખ મહા અપવિત્ર દેખાય કે નહિ? પરંતુ માનવ તો મુખના સૌંદર્ય પાછળ ઘેલો બને છે. જાણે મુખ સોના હીરાથી મઢેલું હોય ? તેમ પોતે સ્વયં તેને સજાવે છે. તિર્યંચ અને મનુષ્યનું શરીર ઔદારિક વર્ગણાનું બને છે. તે જીવ જયારે કર્મવશ તે વર્ગણા ગ્રહણ કરીને શરીર બનાવે છે ત્યારે અશુચિ પેદા થાય છે. તે જ દેહમાં આશ્ચર્યજનક, અદ્ભૂત અતિ પવિત્ર જ્ઞાન સ્વરૂપ તત્ત્વ રહેલું છે. તે પ્રત્યે જીવની દૃષ્ટિ જાય તો આ દેહનો નેહ છૂટે. અગર તો અશુચિથી ભરેલા આ દેહમાં અનુરક્ત જીવને તો પુનઃ૨પિ જનમ પુનઃરપિ મરણમ. ભાગ્યમાં લખાયા છે. જીવ કયાંથી આવ્યો કયાં જન્મ લેશે તેની સુધબુધ છે નહી. દરેક જન્મે જે જાતિમાં જન્મ્યો ત્યાં નવી નવી આકાંક્ષાઓ ઉપજે છે. તેનો અંત ફક્ત જન્મ મરણથી મુક્તિ થવામાં છે. શરીર ભલે અશુચિમય હોય તેની એક એક ધાતુની મલિનતાનો વિચાર કરે તો દેહ જ વૈરાગ્ય ઉત્પન્ન કરાવે તેવો છે. તેની દરેક ધાતુનો વિચાર કર તને જુગુપ્સા થશે. પણ ભાઈ અશુચિ આદિને જાણનાર આત્મા ચિંતનયાત્રા Jain Education International ४७ For Private & Personal Use Only અશુચિ ભાવના www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy