SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિમાં ઉપયોગી છે. જે જ્ઞાનીઓ મુક્ત થયા તેમણે માનવદેહમાં રહેલા આત્મામાં મોક્ષ સાધ્યો પછી નિર્વાણ પામ્યા જેથી પુનઃ જન્મ લેવાનો ન રહ્યો. પ્રાણી માત્રાના શરીર અને તેની ઈદ્રિયોના વિકાસ સાથે મલિનતા - અશુચિનું પ્રમાણ પણ વધે છે. તેમાં સૌથી વધુ અશુચિ માનવ દેહમાં પેદા થાય છે. તિર્યંચ પંચેન્દ્રિય પશુ-પક્ષીના દેહ પણ અશુચિથી ભરેલા છે. પરંતુ માનવનો દેહ વધુ અશુચિવાળો છે. તે જે કંઈ પદાર્થો વાપરે તેની પણ ગંદકી કેટલી? જેમકે આહારના સાધનો, ફળફળાદિના કૂચા, છાલ, છોતરા અને પ્લાસ્ટીકની કોથળીઓ. આમ ચારે બાજુ કચરાના ઢગલા દેખાય છે. પશુઓના નિમિત્તે આવા ઢગલા હોતા નથી. કથંચિત તે ઢગલા ભૂંડ જેવા પ્રાણીઓ સાફ કરે છે. પણ ટન બંધ કચરા માનવના શરીરના નિમિત્તે થાય છે. પશુઓના પિંડની વસ્તુઓ મલિન છતાં તે વ્યવહાર કાર્યમાં આવે છે. જેની રાખ થવાની છે તેવી કાયાને લાખની માનીને તું બેઠો છું તે ભ્રમ છે. વળી દેહનું કારખાનું એવું છે કે એને બેસ્ટ આપો તે વેસ્ટ કરી આપશે. જેમકે રસગુલ્લા, શ્રીખંડ જેવા પદાર્થોનો આહાર કર્યો, તેની ખૂબ પ્રશંસા કરી, પણ તેનું પરિણમન તો વિષ્ટામાં થયું. કાનમાં અત્તરનું પૂમડું મૂક્યું બીજે દિવસે તે ગંધાઈને રહ્યું. શરીરે સુગંધી સાબુ લગાડયો, શરીરને સ્પર્શીને તે ગંદો થયો. સેન્ટ, લોશન, ચંદન લગાડયા, તે તો સુગંધી પદાર્થો હતા પણ શરીરની મલિનતા સાથે મલિન બન્યા. માટે વિચાર કરજે કે આ દેહને કેટલું અને શું આપવું? જે કયારે પણ સ્વચ્છ થવાનું નથી. તેને માટે આટલો શ્રમ? આ વાંચીને તું કંઈક અમલ કરજે ને ન જોઈતા પદાર્થોનો ઉપયોગ બંધ કરજે. તને કંઈ અસુખ નહિ થાય પણ તે તે પદાર્થોના આરંભના પાપથી જરૂર બચીશ. દાડમની કળી જેવા બત્રીસ દાંતમાંથી એક સડી ગયો, પડાવ્યો પછી ડબ્બીમાં મૂકીને ઘરે કોણ લાવે? દાંત તો તારો પણ હવે? વાસ્તવમાં માનવ દેહ વૈરાગ્ય ઉપજાવવાનું શીધ્રસાધન છે આમાં તને સમજાવા જેવું શું છે? બુદ્ધિમાનને ઝાઝું કહેવાનું પણ શું હોય? માટે આ દેહ જેને માટે ધર્યો છે તે કાર્ય સાર્થક કરી લે. આત્મા અનંત નિર્મળ ગુણોનો અખંડ-શાશ્વત પિંડ છે. દેહ તન્ન મલિન પદાર્થોનો પિંડ છે. પરંતુ ચામડીથી મઢેલો છે તેથી તને તે રૂપાળો લાગે છે. જો કોઈ જગાએથી ચામડી નીકળી જાય તો તે તને ધૃણાસ્પદ લાગે છે. Jain Epiritui national અશુચિ ભાવનy.org For Private Ersonal Use Only
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy