SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્ય હશે તો તારી સેવા ચાકરી થશે, ત્યારે પણ તું દુઃખ તો એકલો જ ભોગવશે. કદાચ તું શ્રીમંત હશે તો હોસ્પિટલનો એ.સી., આઈ.સી.યુ.નો ખાસ ઓરડો હશે, ચાંદીની પ્લેટમાં આહાર હશે. ડોકટરો, નર્સે હાજર હશે. તેમ છતાં તારા હૃદયરોગનું દર્દ કોઈ રજ માત્ર લઈ નહિ શકે. માટે નમિરાજાની જેમ એકત્વ ભાવના કરી આત્મહિત કરી લે. વાસ્તવમાં જીવ માત્ર પોતાનામાં એકલો જ છે. વિશ્વના તમામ પદાર્થો સ્વયં એકલા જ છે. હું સ્વયંમાં એક જ છું. તેવી પ્રતીતિ થતાં દુઃખનું કારણ રહેતું નથી. ઉપયોગ-પરિણામ જો સ્વનો આધાર ત્યજી દે તો તેનું બીજું ઠેકાણું તો છે નહિ. પૌલિક સંસ્કારવશ સ્વનો આધાર છોડીને અન્ય સ્થાને તે શાંતિ પામતો નથી. સ્વમાં જ વિશ્રામ છે. “કર્મ ક્લંક નિવારીને નિજ રૂપે હો રમે રમતા રામ, લહત અપૂરવભાવથી ઈણ ભાતે હો તુમે પદ વિશરામ” કોઈ યુવાન-યુવતી મોહના આવેગમાં નદીમાં પડતું મૂકી ડૂબી જાય તો તે બંને સાથે મર્યા કે વ્યક્તિગત મર્યા? અરે હજારો માનવો ધરતીકંપમાં સાથે મર્યા એમ બોલીએ ત્યારે પણ દરેક વ્યક્તિ એકલી જ મરતી હોય છે. પુત્રના મરણથી માતાપિતા સાથે રડવા લાગ્યા. ત્યારે પણ દુઃખ તો વ્યક્તિગત જ થાય છે. આમ સર્વ સ્થાને જીવ એકલો જ હોય છે, તે પછી સંસારમાં હો કે મોક્ષમાં હો, દરેક દ્રવ્ય સ્વંતત્રપણે એકાકી છે. મરણ કરતા પણ જન્મ ભયાનક છે. જન્મ પછી મૃત્યુ હોવું ભયાનક છે. કારણકે પુનઃ જન્મનું દુ:ખ ઉભું છે. જે જીવ જન્મ અને મરે નહિ તે નિર્વાણ પામી મુક્ત થાય છે. તેને પુનઃ જન્મનું દુઃખ નથી. માટે તન, મન, ધન, વચન તારે જે કંઈ ચૂકવવું પડે તે ચૂકવીને પણ પોતાના આત્મસ્વરૂપની પ્રાપ્તિ કર. હું સ્વયં એક છું. અસંખ્ય પ્રદેશે અનંત ગુણોનો પિંડ છું, કિલ્લો છું, તેને કોઈ ભેદી ન શકે. પરંતુ જીવે વિભાવભાવથી જીવનબોજ વધારી દીધો છે. હું સ્વયં એક છું અન્ય મારું નથી, તેવો નિર્ણય દઢ કરી લે પછી દુઃખ નથી. માનવ ઘરબાર વસાવીને માને છે આ સર્વ મેં કર્યું, મારાથી પરિવાર આદિ સુખી છે. તેને માટે કેટલો શ્રમ ઉઠાવ્યો. પણ એ સર્વે મિથ્યા છે. તે તે પ્રકારોમાં અહં મમત્વ કરી તેં મિથ્યાત્વને ગાઢ કર્યું, રાગાદિ ભાવની અવસ્થા નિરંતર બદલાતી રહે છે અને તું માને છે કે આ મારો પ્રેમ સ્થાયી છે. તે વિભાવ મારા સાથી છે. ભાઈ કર્મોદયની પરંપરામાં તું ચિંતનયાત્રા એકત્વ ભાવના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy