SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવૃત્તિ કરાવે. તે કર્મ ભોગવાઈને ક્ષય પામે અને નવું બંધન ન હોય. સાતમી દૃષ્ટિમાં સાંપરાયિક કર્મનો ક્ષય છે. જયારે આઠમી દૃષ્ટિમાં ભવોપગ્રાહી અઘાતીકર્મનો ક્ષય છે. જેમ રત્નનો કુશળ વ્યાપારી એકવાર મોટો સોદો કરી પુષ્કળ સંપત્તિ કમાઈ લે પછી જીવનભર ધંધો કરવાની જરૂર રહેતી નથી તેમ આ યોગીઓ ધર્મસભ્યાસ વડે કૃતકૃત્ય થઈ જાય છે. આત્મસંપત્તિ પ્રાપ્ત થયા પછી હવે એમને કોઈ પ્રયાસ કરવાનો નથી. આ યોગી હવે સર્વજ્ઞ બને છે. ઉત્તમ શૈલેશી યોગથી ભવરૂપી વ્યાધિનો મૂળમાંથી ક્ષય થયો છે. એટલે આ યોગી ભવનિર્વાણ પામે છે. અહીં ચૌદમા ગુણસ્થાનકની સમાપ્તિ થાય છે. આત્મા સ્વભાવથી શુદ્ધસ્વરૂપ રહેલો છે. સમગ્ર જીવોનો આત્મા શુદ્ધસ્વરૂપી જ છે. શુદ્ધ બનાવવાનો નથી. સમગ્ર જીવોનું જ્ઞાન કેવળજ્ઞાન સ્વરૂપે છે. પરંતુ તેના પર ઘાતીકર્મોનું આવરણ આવી ગયું છે. ચાર ઘાતીકર્મોમાં આત્માનાં બધા ગુણોને આવરવાની શક્તિ છે. ઘાતીકર્મોમાં જ્ઞાનાવરણીયકર્મ માત્ર જ્ઞાનગુણને જ આવરે તેવું નથી પણ તે આત્માના જ્ઞાન દર્શન ચારિત્ર અને વીર્યગુણને આડકતરી રીતે આવરે છે. આત્માના મૂળ જ્ઞાનગુણને આવરે તેથી તેની અસર બીજા ગુણોને થાય. ચારે ઘાતીકર્મો પરસ્પર સંકળાયેલા છે. માટે આત્માના આધ્યાત્મિક વિકાસ માટે ચારે ઘાતીકર્મોનો ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમ થવો જોઈએ. માત્ર જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી આધ્યાત્મિક વિકાસ ન થાય. આત્મિકગુણોને પ્રગટાવવા ચારે ઘાતી કર્મોની ક્ષયોપશમાદિની જરૂર છે. તેમાં પુણ્યપ્રકૃતિના ઉદયની જરૂર નથી. જયારે પૌદ્ગલિક ભોગવટા માટે ઘાતીકર્મોના ક્ષયોપશમ સાથે પુણ્યપ્રકૃતિનો ઉદય જોઈએ. જેમકે ભોજનની તૃપ્તિ મેળવવા માટે કેવું ભોજન જરૂરી છે તેનું જ્ઞાન જોઈએ. અને ભોજનની યોગ્ય સામગ્રી મળે તેવી શાતાવેદનીય જેવી પુણ્યપ્રકૃતિનો ઉદય પણ જોઈએ. તેની પ્રાપ્તિ માટે અંતરાયકર્મનો ક્ષયોપશમ અને શક્તિ માટે વીર્યંતરાયનો ક્ષયોપશમ જોઈએ. જૈનદર્શનનો આદર્શ મુક્તિનો છે. યોગસાધના દ્વારા જીવ ભવવ્યાધિથી મુક્ત થાય છે. પ્રથમ દૃષ્ટિથી જ યોગનો આરંભ થાય છે. તેનો વિકાસક્રમ આઠમી દૃષ્ટિમાં પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે જીવની મુક્તિનું લક્ષ્ય સિદ્ધ થાય છે. યોગષ્ટિ સમુચ્ચય Jain Education International ૨૯૧ For Private & Personal Use Only પરાદિષ્ટ www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy