SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ જેમકે બંધકમુનિને જયારે રાજાના આદેશથી દેહ પરથી ચામડી ઉતારનારે તેમની પાસે આવી રાજાનો આદેશ સંભળાવ્યો ત્યારે તેઓએ તરતજ તેમ કરવા માટે તે ચમારોને ખૂશી બતાવી. અને પોતે મુનિ છે માટે સમતા એ મારો ધર્મ છે તેમ વિચારીને દેહાધ્યાસ ત્યજી અપૂર્વ સમતામાં રહ્યા. પણ હું મુનિ સમતાનો ધારક મારે સમતા રાખવી એ ધર્મ છે. આ ચમારો મને સહાયક છે વગેરે વિકલ્પ થયો. યદ્યપિ કાળલબ્ધિ તેમ હતી. છતાં આવા ઉચ્ચ કોટિના શુભભાવે ઉત્તમ સ્વર્ગલોક પામ્યા. એટલે મુનિપણું છે વગેરે શુભ વિકલ્પ પણ શુદ્ધધર્મમાં આસંગ દોષરૂપ મનાય છે આત્મા કેવળ ત્રિકાળ જ્ઞાયક સ્વરૂપ છે. ક્ષમાદિ ધર્મો સહજ હોય ત્યારે શ્રેણીમાં તેનો સભ્યાસ કહ્યો છે. આ દશા ઘણી ઉચ્ચ કક્ષાની છે. તેનું વર્ણન શું થઈ શકે ? અર્થાત્ સમતાનો રાગ નથી રિત છે. આ રિત સાતમી દૃષ્ટિ સુધી રહે છે. પણ આઠમીમાં તે બાધક છે. પતન નથી થતું પણ આગળના વિકાસમાં બાધક છે. ભગવાન મહાવીર સમતાના ભંડાર, સમતાનો રાગ નહિ પરંતુ સમતાની રતિ (પક્ષપાત) જેવા આસંગદોષથી કેવળજ્ઞાન ન પામ્યા. વાસ્તવમાં જ્ઞાનાવરણીય આદિ ઘાતીકર્મ તૂટે ત્યારે એ સમતાની રતિ કેવી રીતે છોડવી તેને જાણવા, તેમ કરવા યોગી સમર્થ બને ત્યારે તદ્નુસાર તે રતિ છોડે, છૂટી જાય ત્યારે તુર્ત જ પૂર્ણ વીતરાગતા પ્રાપ્ત કરી કેવળજ્ઞાન પામે. સૂક્ષ્મ એવી આ સમતાની રતિ-આસંગ જતાં શ્રેણિ મંડાય છે. ૩ ગુણ સાત્મીકૃત પ્રવૃત્તિ : અદ્ભૂત પ્રવૃત્તિગુણ-સહજપ્રવૃત્તિ. સાતમી દૃષ્ટિમાં સમતાની રતિ-આસંગરૂપ સૂક્ષ્મ દોષ હતો તેનો નાશ થઈ આ દૃષ્ટિમાં વીતરાગતાનો પ્રારંભ થાય છે. સાતમી દૃષ્ટિમાં સૂક્ષ્મ અતિચાર લાગી જવાનો સંભવ હતો તેની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત-પ્રતિક્રમણનો સૂક્ષ્મ આચાર હતો તેવો આ દૃષ્ટિમાં અતિચાર લાગતો નથી. માટે આ દૃષ્ટિમાં નિરાચારપદ છે. નિરાચારપદ અર્થાત આ દૃષ્ટિના મુનિને કોઈ આચાર પાલનનો વિકલ્પ નથી. વળી જે કંઈ ચેષ્ટા થાય તે કર્મજનિત છે. જેમકે સાતમી દૃષ્ટિવાળાને ગોચરી આદિ ક્રિયા સંયમના પાલન માટે હોય છે. સમતાનું લક્ષ હોય છે. આઠમી દૃષ્ટિવાળાને કર્મજન્ય ક્રિયા હોય છે. જે સમયે જે કર્મ ઉદયમાં આવે તે તદ્નુસાર પ્રવૃત્તિ કરી લે એટલે કર્મ ભોગવાઈને સહજપણે ક્ષય થઈ જાય. જેમકે તીર્થંકર નામકર્મના ઉદયાનુસારે ઉપદેશાદિ યોગદિષ્ટ સમુચ્ચય Jain Education International ૨૯૦ For Private & Personal Use Only પરાદિષ્ટ www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy