SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. તેજ મુક્તિપદ છે, તેને અત્રે સપ્રવૃત્તિપદ કહે છે આ પ્રકારના પદને લાવનારી આ પ્રભાદેષ્ટિ છે. તેથી અને સામર્થ્યયોગને જણાવ્યો છે. યોગાંગના પ્રણેતા પાતંજલ ઋષિએ આ સાતમી દૃષ્ટિનું માહાભ્ય જણાવતા નિષ્પન્ન યોગીના લક્ષણ કહ્યા છે. (૧) દોષવ્યપાય : આ દૃષ્ટિમાં સંપૂર્ણ પાપારંભનો ત્યાગ છે. અહિંસાદિ દોષ સંપૂર્ણ વર્ષ છે. અપવાદની પણ મોકળાશ નથી. (૨) પરમતૃપ્તિ : આ યોગીઓને ઈચ્છા, તૃષ્ણા આકાંક્ષા કે અભિલાષાનો સદંતર અભાવ છે. મૈત્રી આદિ ભાવના જેવા ભેદના વિકલ્પ ન હોવાથી તેઓ પરમશાંતિ અને તૃપ્તિ અનુભવે છે. (૩) ઔચિત્યઃ આ યોગીને ગુરુકુલની કે અન્ય કોઈ પ્રવૃત્તિ કરવાની નથી, છતાં કંઈપણ કરવાનું હોય તો યોગને ઉચિત જ હોય છે, તેમાં રાગાદિનો વિકલ્પ નથી. સહજદશા છે. પાતંજલ ઋષિના આ પ્રરૂપણાથી ગીતાકાર વ્યાસમુનિની પદ્ધતિ જુદી જણાય છે. તેઓ માને છે કે સંસારના બધા જ કર્તવ્યો ઔચિત્યપૂર્વક, નિષ્કામભાવે કરવા ઉપાદેય છે. તે માન્યતા અનુસાર કર્મની અનેક પ્રણાલિ પ્રયોજી છે. તેને કર્મયોગ માન્યો છે. જોકે તેમાં ફળની આશા નથી. જેનદર્શન તેનાથી તદ્ન જુદી પ્રણાલિ જણાવે છે. કાદવમાં ખરડાઈને નીકળવું તેના કરતા કાદવમાં પગ મૂકવો જ નહિ એટલે ઉત્સર્ગમાર્ગે સંયમ જ ઉપાદેય છે, સંસારની તમામ પ્રવૃત્તિ હેય છે. સંયમ લેનારે કૌટુમ્બિક કે સામાજિક કોઈ જવાબદારી નિભાવવાની નથી. જે સંસારમાં છે તે સાધકે તેના કર્તવ્યોમાં ઔચિત્યનું પાલન કરવાનું છે. છતાં પણ તે ઉપાદેય તો નથી. પ્રભાદેષ્ટિનું આખરી પરિણામ અસંગયોગ, સામર્થ્યયોગ અને છેવટે યોગસંન્યાસ છે. આ જ યોગીઓ આઠમી દષ્ટિને પ્રાપ્ત રે છે. આવી ઉત્કૃષ્ટ જ્ઞાનદશાનું વર્ણન ક્રવું તેની મર્યાદા છે. પૂર્ણ યોગીજીવનની દશા વર્ણનાતીત છે. તે પ્રત્યે સાધકે અત્યંત અહોભાવ રાખી પોતાનું ધ્યેય એ જ છે તેમ ભાવના કરવી. પ્રભાષ્ટિમાં યોગીજનોની અનુભૂતિની મુખ્યતા છે. તે આઠમા ગુણસ્થાનકથી આવનાર છે. તેમને દ્રવ્ય, રોગ કે રાગાદિ ભાવરોગ થતા નથી. સમાધિજન્ય આંતરસુખ હોય છે. તેમનું સુખ પુણ્યને આધીન નહીં પરંતુ સ્વાધીન છે તે ક્ષણ મળવાળા સુવર્ણની જેમ સદા કલ્યાણકારી હોય છે. આ યોગીજનોને અસંગઅનુષ્ઠાનના બળે મુક્તિપથમાં પ્રયાણ કરાવનારું સપ્રવૃત્તિપદ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી તેઓ આઠમી પરાષ્ટિમાં પ્રવેશ કરે છે. યોગદષ્ટિ સમુચ્ચય Jain Education International ૨૮૫ For Private & Personal Use Only પ્રભાષ્ટિ www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy