SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ મહાવીર પૂર્વના ત્રીજા ભવમાં (નંદમૂનિ) અગિયાર અંગના પાઠી હતા. અને ઋષભદેવ ભગવાન ચૌદ પૂર્વી હતા. અંતિમભવમાં તેમને પાથ અલ્પ પણ પૂર્વનું જ્ઞાન હોય. શાસ્ત્રવચનોના અતિશય અભ્યાસથી એવું વિશિષ્ટ સામર્થ્ય પ્રગટે છે કે જેમાં અન્ય આલંબનની આવશ્યકતા રહેતી નથી. તે દશાને ઉપચારથી સામર્થ્ય યોગ કહે છે. શ્રેણિએ આરૂઢ આ યોગમાં કોઈ વિશેષ પ્રયત્ન જરૂર રહેતી નથી. તેથી સૂત્રમાં કહ્યું છે કે એવા યોગીજનોનું સામર્થ્ય આશ્ચર્યકારી હોય છે. શાસ્ત્રયોગમાંથી સામર્થ્યયોગ તરફ જાય છે. સાતમી દૃષ્ટિમાં ઉપચારથી સામર્થ્ય યોગ છે. “ઈક્કોવિ નમુક્કારો” એક જ વાર ભાવમાં સ્થાયી બનેલા નવકારમંત્રથી જીવ સંસાર સાગરને તરે. સર્વ પાપ નાશ પામે તેવી શુદ્ધદશા હોય છે. તેવું સામર્થ્ય પાય શ્રેણિ આરૂઢ યોગીજનોમાં હોય છે. તેઓના પાથ સહજ પ્રયાસથી કાર્ય સિદ્ધિ થાય છે. આઠમી દૃષ્ટિમાં ક્ષપક શ્રેણિમાં આવતા અપૂર્વકરણ આઠમું ગુણસ્થાનક કે જયાં સામર્થ્યયોગ (સ્વરૂપ સહનશક્તિ) પ્રગટે છે તે પારમાર્થિક સામર્થ્યયોગ છે. તેના બે ભેદ છે. (૧) ધર્મ (ર) યોગ (૧) ધર્મઃ જેમ વ્યવહારિક અભ્યાસ કરતા વિદ્યાર્થીને ગણિત શીખવું ફરજિયાત છે, પરંતુ જયારે મેડિકલલાઈન લે ત્યારે તે કેવળ સામાન્ય માહિતી બની જાય છે, પછી તે આંકડા પુનઃ ગોખવાની જરૂર રહેતી નથી. તેમ સાધક અધ્યાત્મમાર્ગમાં પ્રવેશ કરે ત્યારે તેને ક્ષમાદિ ગુણ પ્રાપ્તિ અવશ્ય હોય છે. તે સાધક સાધુ થાય ત્યારે તે ઉત્તમ ક્ષમા ધર્મ બને છે. અર્થાત સાધુ પ્રાણાંતે પાળે તેવો યતિધર્મ હોય છે. તેથી તે ગુણો સહજપણે સ્થાપિત થઈ જાય છે. હવે જયારે આઠમા ગુણસ્થાનકે શ્રેણિ પર આરૂઢ થાય ત્યારે જેમ પ્રતિક્રમણ આદિ ક્રિયાનું પ્રયોજન નથી તેમ ક્ષમાદિ ગુણોનો વિકલ્પ નથી, તેથી આઠમા ગુણસ્થાનકેથી તે યતિ ધર્મોનો ત્યાગ થાય છે. અર્થાત હું ક્ષમા ધારણ કરું તેવા વિકલ્પ નથી. ક્ષયોપશમભાવના ધમના ત્યાગવાળો આ સામર્થ્યયોગ આઠમાથી શરૂ થાય છે. તે તે ગુણસ્થાનને યોગ્ય ચારિત્ર મોહનીચના કર્મનો ક્ષય થવાથી ક્ષાયિક ભાવના ધર્મો અહીં પ્રગટ થાય છે. તેથી આત્મા ઉધ્વરોહણ કરે છે. (ર) યોગ ઃ મન, વચન, કાયાના યોગનો ત્યાગ (નિરોધ) કરવારૂપ જે સામર્થ્યયોગ તે યોગ છે. તે તેરમા ગુણસ્થાનને અંતે થાય છે. ક્ષપકશ્રેણિનું આ આરોહણ પરમાર્થમાર્ગનું મહાપ્રયાણ છે. જયાંથી હવે પાછા ફરવાનું યોગદષ્ટિ સમુચ્ચય ૨૮૪ પ્રભાષ્ટિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy