SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ચિંતન કર કે હે જીવ! અશરણ એવા સંસારમાં શરણનું કોઈ સાધન નથી. પરંતુ સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સ્વનું શુદ્ધ સ્વરૂપ જ શરણરૂપ છે, જે પરમાર્થરૂપ અને મોક્ષ છે, તેનું જ શરણ ગ્રહણ કર. વળી ઉત્તમ ક્ષમાદિ સ્વભાવરૂપ આત્મા જ ખરેખર શરણરૂપ છે. જે તારા સ્વરૂપમાં જ છે, માટે બીજાના શરણની માટે આવશ્યકતા નથી. સ્વના આશ્રયે ન ટકાય તો શુદ્ધ સ્વરૂપે પ્રગટ એવા પરમાત્માનું શરણ અહોભાવપૂર્વક ગ્રહણ કરજે. સદ્ગુરુની નિશ્રામાં રહેજે. જીવન છે ત્યાં સુધી દયામૂળ ધર્મ આરાધજે. અંતમાં સ્વરૂપદષ્ટિ પ્રાપ્ત કરી સ્વના આશ્રયે રહેજે. શાસ્ત્રકાર કહે છે કે શરણ તો જયાં રક્ષણ થતું હોય તેને કહેવામાં આવે છે. જયાં કાળનું ભક્ષણ હોય કે કોઈ નિમિત્ત વડે નાશ પામતો હોય તો તે શરણ કેમ કહેવાય? અશરણ ભાવના : (હરિગીત) ભવ વન વિશે આ આત્મમૃગ છે કાલસિંહના મુખમહીં લૂંટી રહૃાા જે કાયાનગરી કાંઈ કાંઈનું ચાલે નહીં રાજપાટ વા ધનસંપત્તિ કે મંત્રાયંત્રસેના વડે કોઈ બચાવી નવ શકે આ આત્મરૂપી મૃગને પામ્યા શ્રી કૃષ્ણ મૃત્યુને, બસ એક તર જ વાગતાં બળદેવ સમ ભ્રાતૃ અને ખુદ ચક્રરત્ન હોવા છતાં ના શરણ સાચું બીજું કાંઈ, છે દેવગુરુ ને ધર્મ વિણ ભ્રમ કારણે ભટકી રહ્યો, રે વ્યર્થ આયુ ગુમાવી જીવ. સંસાર ભાવના : (હરિગીત) દ્રવ, ક્ષેત્ર, કાળ ને ભાવ, ભવ, પરિવર્તન સહે છે જીવ આ જન્મ જરા ને મૃત્યુના દુઃખ પણ સહે છે જીવ આ છેદનભેદન નરક મહી ને બંધન-વધ પશુગતિ વિશે રાગાદિથી દુઃખ સ્વર્ગમાં, ના ક્યાંય સુખ છે જીવને એકેન્દ્રિય બને યદિ પુણ્યફળથી, તોય તેને સુખ ક્યાં ? અલ્પ સમય સર (ગ્રહ) પછી જાળ અને ખુરપી જ હા ને સુખ માનુષ જનમમાં, છે અનેકવિધ દુઃખદ ખરે, પંચમગતિનું સુખ વડે જે શુભને અશુભથી પર બને. ચિંતનયાત્રા Jain Education International ૨૪ For Private & Personal Use Only અશરણ ભાવના www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy