SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ મરવાનો નથી. ધન કેટલું ભેગું કર્યું ! આખરી વિદાયવેળાએ એક રજકણ પણ લઈ જઈ ના શકયો. પૂરી જીંદગી તે કોના સુખ માટે આવો શ્રમ ઉઠાવ્યો ? ભેગું કરેલું ભેગું ન આવ્યું. જનારા ગયા, રહેલા જવાના છે, માટે બહુમૂલ્ય આ માનવજન્મનો વિચાર કરીને પુનઃ જન્મમરણથી છૂટવા ધર્મનું શરણ ગ્રહણ કરી લે. રત્નત્રય પરમ શરણ્ય છે. શાશ્વત એવા સહજ જ્ઞાન સ્વભાવની રૂચિ કરવી તે સમ્યગ્દર્શન છે. નિજસ્વરૂપનું જ્ઞાન કરવું તે સમ્યજ્ઞાન છે અને સમસ્ત પરભાવોથી મુક્ત થવું તે સમ્યચારિત્ર છે. જીવો આવા અનુપમ સાધનોને છોડીને અશરણ્ય સાધનો શોધે છે. દેવ, ગ્રહ, જયોતિષી જેવા પાસે શરણ માંગે છે જે સ્વયં અશરણ છે. અરે તે જે માતાને ઉદરે જન્મ લીધો તે સ્વયં અશરણ છે. પિતા જે તને રક્ષક લાગે છે તે અશરણ છે. સાચું શરણ એક ધર્મ છે. ક્ષમાદિ, રત્નત્રય, દયાદિ ધર્મનું સેવન તને મૃત્યુ થવા છતાં પુનઃ મૃત્યુથી બચાવશે. “માયાજાળ તણી મેં જાણી જગત લાગે છે ખારું, ઉદયરત્ન એમ જાણી પ્રભુ તારું, શરણ ગ્રહ્યું છે મેં સારું.' સાચો સાધક જગતના સંબંધોની માયાને જાળ, ફસાવાનું સાધન જાણી ધર્મનું, સર્વજ્ઞનું શરણ સ્વીકારી લે છે તે સંસારની દુઃખરૂપી વૈતરણીને તરી જાય છે. અનુપ્રેક્ષા : હે જીવ ! ચિંતન કર કે આયુષ્યને આધીન જીવન, યમરાજના તેડા આવે ત્યારે દેવ, દેવેન્દ્ર ચક્રવર્તી કે મનુષ્ય કોઈ તેમાંથી છૂટી શકતા નથી. વળી ઈન્દ્રિયોના વિષયોને આધીન, નવરસવાળા સુખોને ભોગવીને પણ જો મરણ જ થવાનું હોય તો તે વિષયોના રસનું પ્રયોજન શું છે ? તે પદાર્થો મેળવવા, સત્તા, સ્ત્રી આદિ મેળવવા માટે કરેલા ઘોર કર્મોના વિપાક સિવાય જીવને કશું મળતું નથી. ખરું શરણ તારો શક્તિવાન આત્મા જ છે. તેને ઓળખી તેનો જ આશ્રય લે. તેને બદલે દેહાદિનો આશ્રય કરી જીવ ભય, રોગ અને આધિ વ્યાધિ ઉપાધિ સિવાય શું મેળવે છે ? તે હે ચતુર વિચારી જો. હવે ચિંતન કરજે કે ઈંદ્રાદિ સર્વનું જીવન આયુકર્મને આધીન છે. આયુકર્મના ક્ષયથી દેહનો વિયોગ થાય છે. કોઈ કોઈને આયુકર્મ આપી શકતો નથી કે પોતે વધારી શકતો નથી. સ્વયં તીર્થંકર જેના અનંતચતુષ્ટ પ્રગટ થયા છે તે પણ આયુષ્ય ફેરફાર કરી શકતા નથી. આયુકર્મ પર પ્રકૃતિ છે, આત્મા પરનો કર્તા નથી સ્વરૂપમાં સ્થિત તે તેનું કર્તવ્ય છે. ચિંતનયાત્રા Jain Education International ૨૩ For Private & Personal Use Only અશરણ ભાવના www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy