SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ન હોવાથી શુભાશુભ ભાવની અસર હોય છે. પ્રભાષ્ટિવાળા મહાત્માઓ ' ધ્યાનદશામાં પરમ સુખને માણે છે, જાણે મોક્ષનું સુખ માણતા હોય? પ્રભાષ્ટિવાળા જીવો મનોવિજયી હોય છે. બહારના સુખદુઃખાદિના વિંધોની અસર થતી નથી. તે મહાત્માઓની દશા એવી સાનંદાશ્ચર્યકારી હોય છે કે તેઓ શાતા કરતાં અશાતાની પ્રાપ્તિમાં પોતાનું બળવીર્ય વધુ ફોરવે છે. અને કર્મોનો મોટો જથ્થો નષ્ટ કરે છે. એવી સ્થિતિમાં તેમનું આંતરિક સુખ ઈન્દ્ર કે ચક્રવતીનાં સુખ કરતાં પણ અનેકગણું હોય છે. તેઓ મહાન મનોજયી હોય છે. એક દષ્ટિમાં નિર્મળબોધે, ધ્યાન સદા હોયે સાચું રે, દૂષણ રહિત નિરંતર જયોતિ, રતન તે દિપે જાયું રે. ભવિકા -આ. દ. સજઝાય, ઉપા. શ્રી યશોવિજયજી. આવા સુખનો અધિકાર પ્રાપ્ત થવાનું કારણ જડ ચેતનની ભિન્નતાનું પરમાર્થ વિવેકરૂપ ભેદજ્ઞાન છે. આ ભેદજ્ઞાન સ્વાભાવિક અને નિશ્ચયરૂપ હોવાથી તેઓની પરભાવમાં અંશ માત્ર રમણતા નથી. આથી તેઓ પરમ સુખમાં નિમગ્ન હોય છે. ધ્યાન દશામાંથી પ્રગટેલું આ સુખ પુણ્યકર્મ સાપેક્ષ નથી. કર્મ એ પરતત્ત્વ છે. તેથી પુણ્યકર્મથી મળતું સુખ પરાધીન હોવાથી દુઃખરૂપ છે. આથી અશાતારૂપ પાપકર્મના ઉદયમાં પણ મુનિઓ આંતરિક ધ્યાનનું સુખ અનુભવતા હોય છે. અમરમુનિ બાળમુનિ હતા. માતાએ આવેશમાં છાતીમાં હથિયાર ભોંકી દીધું. પરંતુ ધ્યાનમગ્ન મુનિને તેની અસર ન થઈ. દેહની ભિન્નતાના પરમ ભેદજ્ઞાનના યોગે ધ્યાનમાં લીન હતા. ધર્મધ્યાન અને શુકલધ્યાનના સાતત્યમાં જ્ઞાનના બોધની નિર્મળતા છે. તે જ્ઞાનના વિકાસ સાથે તત્ત્વચિંતનની સૂક્ષ્મતા પ્રગાઢ બનતી જાય છે. નિશ્ચયનયથી આ દૃષ્ટિમાં આત્મસંવેદનનો આનંદ હોય છે. શુદ્ધજ્ઞાનની તૃપ્તિ છે. સઘળું પરવશ તે દુઃખ લક્ષણ, નિજવશ તે સુખ લહીએ રે; એ દેણે આત્મગુણ પ્રગટે, ક્યો સુખ કુણ કહીએ રે. ભાવિકા. -આ. દ. સજઝાય, ઉપા. શ્રી યશોવિજ્યજી. પૂર્વબદ્ધ એવા જ્ઞાનાવરણીય અને મોહનીય આદિ કર્મોનો નિર્મળ ક્ષયોપશમ થવાથી પ્રાપ્ત થયેલા ઉત્તમ બોધને કારણે આ મહાત્માઓ નિરંતર ધ્યાનદશામાં હોય છે. શુદ્ધજ્ઞાનયોગ અને નિર્મોહદશાના બળે આ યોગીઓ નિજઘરરૂપ પોતાની પરમ આત્મદશામાં લીન હોય છે, યોગદૃષ્ટિ સમુચ્ચય પ્રભાષ્ટિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy