SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વપ્રતિપત્તિ, જે ગુણ પ્રાપ્તિમાં હવે ગણતા નથી કારણ કે આત્માનુભૂતિરૂપ આ ગુણ પરિણતિરૂપ છે. આ દષ્ટિમાં યોગી પરમાર્થ માર્ગે નિષ્કટક આરોહણ કરે છે. એવું અપૂર્વ સામર્થ્ય પ્રગટયું છે. સાનંદાશ્ચર્ય ઉપજાવે તેવી અભૂત આ દશા છે. આ દષ્ટિમાં પરાકાષ્ઠાની સમતા છે. મહાવીર પ્રભુને છ માસ સંગમનો ઉપસર્ગ રહ્યો, ત્યારે પ્રભુ જાણે એક સ્થંભની જેમ અડગ રહ્યા. તે સમતાની પરાકાષ્ઠા હતી. આ યોગીઓની આ સમતા, અહિંસારૂપ ભાવના એવી પવિત્ર હોય છે કે તેમના સાન્નિધ્યમાં બીજા જીવો વૈરવૃત્તિવાળા છતાં વૈરભાવ ત્યજી દે છે. તેઓ યોગીઓના મિત્રો બની જાય છે. કથંચિત અશુભકર્મનો તીવ્ર ઉદય હોય તો પ્રકૃતિવશ વર્તે ખરા તો પણ જ્ઞાની ઉદયના કર્તા કે ભોક્તા નથી જ્ઞાતા રહે છે. નિરંતર અધ્યવસાય સ્થાનોની નિર્મળતામાં વૃદ્ધિ થાય છે. પૂર્ણ ધ્યાનજન્ય દશા હોય છે. ૪. સાતમું યોગાંગ ધ્યાન : આ દૃષ્ટિનું સાતમું યોગાંગ ધ્યાન છે. તે પણ ધર્મધ્યાન અને શુકલધ્યાનની વિશેષતાવાળું છે. અર્થાત્ સૂક્ષ્મ ઉપયોગપૂર્વકનું પૂર્વશ્રુતાદિનું સૂક્ષ્મ ચિંતન હોય છે. અધ્યવસાયની અપૂર્વ સ્થિરતા હોય છે. આ ધ્યાન પ્રાધ્ય શ્રેણિઆરૂઢ યોગીજનોને હોય છે. જો કે ધર્મધ્યાનની યોગ્યતા મુનિરાજોને સાતમે ગુણસ્થાનવર્તી હોય છે. ગૌણપણે આંશિક ઉચ્ચકક્ષાના ગુણસ્થાનવર્તી શ્રાવકને હોય છે. મુનિજનોને શુકલધ્યાન ગુણશ્રેણિના આરોહણ સમયે હોય છે. આ ધ્યાનનો પ્રકર્ષ એવો હોય છે કે ઘનઘાતી કર્મો નિરંતર તૂટતા જાય છે. આત્મા પૂર્ણજ્ઞાનદશા તરફ વેગે પ્રયાણ કરે છે. આ ધ્યાનમાં મન, વચન, કાયાની બધી જ શક્તિ સ્થિરતારૂપ હોય છે. એટલે ઉપયોગની સૂક્ષ્મતા વધુ થતી હોવાથી યોગોને વીર્ય વધુ ફોરવવું પડે છે. જેમ જેમ ધ્યાનદશા વિકસતી જાય છે તેમ તેમ જાગૃતિ વિશેષ હોય છે. વળી આ યોગીજનોના આહાર, વિહાર, નિદ્રા, અતિ અલ્પ હોય છે. પ્રાલય નિર્વિકલ્પદશા હોવાથી સમતામાં જ રમણતા છે. કોઈ પ્રશસ્ત કે અપ્રશસ્ત કષાયો, રાગાદિથી તેઓ મુક્ત છે. આ દૃષ્ટિમાં મુનિજનોને ધ્યાનજન્ય સુખની પ્રાપ્તિ હોય છે. છઠ્ઠી દૃષ્ટિમાં પ્રશસ્ત કષાયજન્ય વૈકલ્પિક માનસિક સુખ છે તે આત્માનુભૂતિના સુખ જેવું નથી. પરંતુ નીચી કોટિનું છે. કારણકે વિષયોના સુખની શુભ અસર હોય છે. પાંચમી દૃષ્ટિમાં ભલે સમક્તિ હોય પણ ધ્યાનદશાનું સુખ યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૮૧ પ્રભાદેષ્ટિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy