SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ તેમને સહજ છે. તે માટે કોઈ પ્રયાસ કરવો પડતો નથી. ૧૬. દોપક્ષય : દીનતા, ભયભીતપણું, લોભીપણું, માયાવીપણું કૃપણતા જેવા દોષોથી આ મહાત્માઓ મુક્ત હોય છે. ૧૭. પરમસંતોષ : આ યોગીજનોનું સુખ સ્વાધીન હોવાથી તેમને કોઈ પદાર્થોની જરૂરિયાત નથી હોતી, વળી વિશેષ પુયોદય હોવાથી સર્વ રિદ્ધિ આવી મળે છે તેથી તેઓને પરમસંતોષ હોય છે. ૧૮. વિશિષ્ટ સમતા : લોભાદિ દોષોના અભાવે અને જ્ઞાતાદેષ્ટાભાવનાના બળે આ મહાત્માની સમતા ઉત્તમ કોટિની હોય છે. ૧૯. ઔચિત્યાચરણ યોગીજનોને દેહ છે તેથી લોકસંપર્ક જરૂરી બને છે. પરંતુ આ યોગીજનો દરેક પ્રસંગે નિર્લેપ હોય છે. હંમેશા ઉચિત આચરણ કરે છે. ૨૦. વરનાશ : ઉપરોક્ત જણાવ્યા પ્રમાણે મૈત્રી આદિભાવનાઓ, પરમ સંતોષ, વિશિષ્ટ સમતાના પ્રભાવથી સહજ નિર્વેરભાવ હોય છે. ૨૧. ઋતંભરા : બુદ્ધિ-વસ્તુના યથાર્થ સ્વરૂપને જાણનારી પ્રજ્ઞા, કેવળજ્ઞાનની પ્રાપ્તિના પૂર્વકાળે ક્ષપકશ્રેણિ આરૂઢ યોગીજનોને આવતું પ્રાતિજ્ઞાન છે, તે શાસ્ત્રના આલંબનરહિત સ્વાનુભવયુક્ત હોય છે. સાંખ્યાદિ દર્શનશાસ્ત્રો અનુસાર આ ઋતંભરા બુદ્ધિ છે. જૈનદર્શનમાં તે વિશિષ્ટ બુદ્ધિ છે. જે આત્મજ્ઞાન દ્વારા જગતની વસ્તુના સ્વરૂપને જાણે છે. આવા વિશિષ્ટ ગુણોની પ્રાપ્તિ જ્ઞાનાવરણીય અને મોહનીયના ક્ષયોપશમને કારણે ચિત્તની નિર્મળતાથી પ્રાપ્ત થાય છે. તેમાં સુગંધ સુસ્વરાદિક શુભભાવો ઔદાયિક ભાવો છે. આ યોગ સાધનાને ઔદાયિકભાવો સાથે સીધો સંબંધ નથી, પરંતુ આ યોગ સાધનાના બળે વિશિષ્ટ પુણ્યોદય પ્રગટે છે. તે કથંચિત યોગસાધનામાં સહાયક છે. પાંચમી દષ્ટિના અંતે થનારા આ ભાવોની છઠ્ઠી દૃષ્ટિમાં વૃદ્ધિ થાય છે, સ્થાયી થાય છે. Pogom યોગદષ્ટિ સમુચ્ચય ૨૭૬ For Private & Personal Use Only કાન્તાદૃષ્ટિ www.jainelibrary.org Jain Education International
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy