SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ પણ વિકાર નથી. ૨. રોગ રહિતતા : વિષયોનું શમન હોવાથી રોગ થતા નથી. પૂર્વબદ્ધ કર્મથી રોગ થાય તો તે અશાતાને સમતાથી ખપાવે છે. યોગીઓનું એ સામર્થ્ય છે. ૩. અનિસ્ફૂરતા : આ યોગીજનો સહજ જ મૈત્રી આદિ ભાવનાવાળા હોય છે. તેથી ઉપસર્ગકર્તા પ્રત્યે પણ કરૂણાભાવ રાખે છે. ૪. કુદરતી ક્રમ : બે નીતિની અલ્પતા, યોગીજનો આહારાદિના સંયમી હોવાથી તેમને આ ક્રમની અલ્પતા હોય છે. નિહાર સંયમિત હોય છે. ૫. શુભગંધ ઃ યોગીઓના દેહમાં રહેલા ગંધાદિ પણ શુભપણે વર્તે છે તે તેમના પવિત્ર જીવનનું કારણ છે. ૬. કાન્તિ : યોગીજનોનાં શરીરાદિ સક્ષમ અને તેજમય હોય છે. ૭. પ્રસન્નતા : યોગી સદા પ્રસન્ન હોય છે. તેમને અનુકૂળ પ્રતિકૂળતાનો કોઈ ભેદ નથી. ૮. સુસ્વર : યોગીજનોના પૂર્વકર્મનું પરિણામ એવું છે કે તેમને જન્મથી મધુર સ્વર હોય છે. ૯. વિષયોથી અચિત્તવૃત્તિઃ ઈદ્રિયોના વિષયમાં અનાસક્ત હોય છે. ૧૦. મનોબળ : આ મહાત્માઓનું મનોબળ ઉત્કૃષ્ટ હોય છે. જેમકે ગજસકુમાર જેવા માથે અંગારા હતા, છતાં શ્રેણિએ આરૂઢ હતા. ૧૧. ધૈર્યબળ-સામર્થ્યબળ : આ યોગીજનોને વિઘ્ન આવતા નથી. પૂર્વકર્મના ઉદયે ઉપસર્ગાદિ આવે તો તેમનું ધૈર્યબળ અને સામર્થ્યબળ વિશેષ હોય છે. ૧૨. મૈત્રી આદિ ચારે ભાવનાઓથી ભાવિત હોવાથી સર્વજીવોની સાથે નિવૈર બુદ્ધિ, ગુણપ્રમોદ, દુ:ખીજનો પ્રત્યે કરૂણા અને પાપી જીવો પ્રત્યે માધ્યસ્થભાવ હોય છે. આત્માની નિર્મળ દશાને કારણે આવા ઉત્તમ ભાવો ટકે છે. ૧૩. ઈષ્ટનો લાભ : પુણ્યબળે ઈષ્ટવસ્તુ માટે ઝંખના કરવી પડતી નથી તે સહેજે મળે છે. ૧૪. ચંદ્રથી અપરાભાવતા : સુખ-દુઃખ, હર્ષ-શોક, લાભ-અલાભ, યશ- અપયશ જેવા વિકલ્પાત્મક દ્વંદ્ય નથી તેથી યોગીજનો આત્મભાવમાં લીન છે. ૧૫. જનપ્રિયત્વ : આ મહાત્માઓ ગુણવાન હોવાથી જનપ્રિયત્વ યોગદૃષ્ટિ સમુચ્ચય Jain Education International ૨૭૫ For Private & Personal Use Only કાન્તાદષ્ટિ www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy