SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. છતાં સમ્યક્ત એ એવો ગુણ છે કે અંશે પણ જ્ઞાનનો અનુભવ હોય છે, તે આગળ જતાં અવિનાશી બને છે. આથી પૌલિક સુખ તુચ્છ લાગે છે. તેનું ચિત્ત નિરંતર મુક્તિના સુખ પ્રત્યે જોડાયેલું રહે છે. સૂક્ષ્મબોધ ગુણપ્રાપ્તિ : આ દૃષ્ટિમાં અપ્રતિપાતી એવો નિત્ય બોધ હોય છે, કારણ કે આ દૃષ્ટિમાં રાગદ્વેષ રૂપ મોહનીયનો ગ્રંથિભેદ થયો છે તથા સમ્યકત્વની પ્રાપ્તિને કારણે વેદ્યસંવેદ્યપદ (અનુભવયુક્ત સંવેદન) પ્રાપ્ત થવાથી, મિથ્યાત્વની ગ્રંથિ તૂટી ગઈ હોવાથી સૂક્ષ્મબોધ (પરમાર્થિક તત્ત્વબોધ) પ્રગટ્યો છે. આ દષ્ટિમાં તત્ત્વદર્શન નિત્ય કહ્યું છે. કારણકે પ્રથમની ચાર દૃષ્ટિ કરતાં સ્થિરાદેષ્ટિમાં વિવેક સંપૂર્ણ છે. તેથી તત્ત્વદર્શન (શ્રદ્ધા) એક સરખું રહે છે. તેમાં સમ્યકત્વ ક્ષાયિક હોય કે પશમિક હોય તો પણ આ વિવેકની સમાનતા છે. છતાં એટલો ભેદ ખરો કે ક્ષયોપથમિક સભ્યત્વમાં દર્શનમોહનીયના ઉદયથી અતિચાર લાગવાનો સંભવ છે. જયારે ક્ષાયિક સમ્યકત્વમાં દર્શનસપ્તકનો ક્ષય હોવાથી અને પથમિક સમ્યકત્વના દર્શનસપ્તકનો ઉપશમકાળ માત્ર અંતર્મુહૂર્તનો હોવાથી તેમાં અતિચાર લાગવાનો સંભવ નથી. ક્ષયોપશમ સમ્યકત્વમાં અતિચાર લાગે તેટલો સમય અનવબોધ થાય છે. છતાં મિથ્યાત્વી અને સમકિતી જીવમાં એટલો ભેદ છે કે મિથ્યાત્વીનું જ્ઞાન વિપરીત હોય છે. તેવું વિપરીત જ્ઞાન અતિચારના સમયમાં સમકિતીનું હોતું નથી. તેનો બોધ મૂળથી શુદ્ધ અને સૂક્ષ્મ છે. છતાં જેમ જીભ અતિશય ગરમ પદાર્થના સ્પર્શથી તતડી ગઈ હોય તો થોડા સમય સુધી તેમાં કોઈ પદાર્થનું જ્ઞાન થતું નથી, વળી પુનઃ સ્વાદ જાણી શકે છે. તેમ સમકિતીને અતિચારના સમય સુધી અનવબોધ રહે છે. જો અતિચાર લાગવામાં જાગૃત ન રહે તો તે દોષો આગળ વધીને અનાચાર સુધી આવી જાય ત્યારે અવિવેક આવવાથી તે જીવોનું સમક્તિ ટકતું નથી અને પડવાઈ થઈ મિથ્યાત્વ આવી જાય છે. આ સમક્તિમાં અતિચારના પાંચ પ્રકાર છે. (૧) શંકા : સમકિતી જીવે તત્ત્વની વિચારણાપૂર્વક ધર્મ સ્વીકાર્યો છે તેથી શ્રદ્ધા દેઢ હોય છે. મોહનીયકર્મના ભારે ઉદયથી કોઈ આપત્તિકાળે ચલિત થવાનો સંભવ છે. સર્વજ્ઞ કથિત નવ તત્ત્વમાં અને ચૈતન્યસ્વરૂપ આત્મા વિષેની પ્રરૂપણામાં કે સર્વજ્ઞપણામાં શંકા થવી ન જોઈએ. તે યોગદષ્ટિ સમુચ્ચય Jain Education International ૨૫૪ For Private & Personal Use Only સ્થિરાદેષ્ટિ www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy