SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ એ પ્રભાવ છે. વળી પાપનો સાચો પશ્ચાતાપ અને આલોચના આ જીવ કરી શકે છે જે મિથ્યાષ્ટિ કરી શકતો નથી. શ્રેણિકરાજા રોજના સો કોરડાનો માર સમતાથી સહી લેતા હતા તે સમક્તિનો પ્રભાવ હતો. ઉદયકર્મની પ્રતિકૂળતામાં સમતા રાખી કર્મનો નવો બંધ ન થાય તે માટે સજાગ હતા, તેમાં સમક્તિની ઉપસ્થિતિ હતી. પરિતાપથી વર્જિત સંતોષ આપનાર : સ્થિરાદેષ્ટિવાળા જીવો સમ્યકત્વની મૂડી-ધનવાળા હોય છે. તેના પ્રભાવે પરપીડનથી મુક્ત પરમસંતોષી, સર્વના સુખમાં રાજી, અનુકૂળ પ્રતિકૂળ સંયોગોમાં સમભાવે રહેનારા, કદાગ્રહરહિત, મૈત્રીભાવથી ભૂષિત, ઉદાર ચિત્તવાળા, દોષી પ્રત્યે મધ્યસ્થભાવવાળા, તેમના ભાવોની નિર્મળતા ઉચ્ચ કોટિની હોય. પોતે જેમ ધર્મથી સુખ પામ્યા તેમ અન્ય જીવો સુખ પામે તેવી ભાવનાવાળા હોય છે. જૈન ધર્મના તત્ત્વને ન પામેલા જીવો પ્રત્યે અભાવ રાખતા નથી કે આગ્રહ રાખતા નથી. અન્યમતના જીવોને તે જૈનદર્શનના તત્ત્વની સૂક્ષ્મ વાતો કહી ધર્મ પમાડી દઉં તેવી ઉતાવળ કરતા નથી, પણ તેને રસરૂચિ થાય તેમ પ્રારંભમાં હળવા અનુષ્ઠાનોની વાત સમજાવીને પછી ઊંચા અધ્યાત્મની વાત કરીને તત્ત્વનો બોધ પમાડે છે. સ્વભાવરૂપ શુદ્ધધર્મને સમજે છે અને સમજાવે છે. સ્થિરાદષ્ટિના બોધનું છેલ્લું વિશેષણ પ્રણિધાન છે (દઢતા) નિશ્ચયનયની અપેક્ષાએ પ્રણિધાન સ્થિરાદષ્ટિમાં હોય છે. વ્યવહારનયની અપેક્ષાએ ત્રીજી બલાદેષ્ટિમાં હોય છે. પ્રણિધાનની મુખ્યતા એ છે કે જીવ, સંવર અને મોક્ષ જ ઉપાદેય છે. પાપાદિ વિષય કષાયયુક્ત પૌદ્ગલિક રમણતારૂપ વિભાવદશા હેય જ છે. આત્મિક ગુણો જ પ્રાપ્તવ્ય છે, સ્વરૂપ રમણતા જ યોગ્ય છે. એવા દઢ નિશ્ચયને પ્રણિધાન કહેવામાં આવે છે. તે આ સ્થિરાદેષ્ટિમાં જ પ્રાપ્ત થાય છે. કથંચિત કર્મના ઉદયે સાંસારિક પ્રવૃત્તિ કરે તો પણ તે હેય માનીને કરે છે. પૂર્વની ચાર દષ્ટિવાળા કર્મવશ ભ્રમિત થઈ જાય છે. પરંતુ સ્થિરાદેષ્ટિવાળા જીવો હેય ઉપાદેયના વિવેકમાં સુનિશ્ચિત અને દઢ હોય છે, તે ભ્રમિત થતા નથી. જો કે આ ચોથું અવિરતિ ગુણસ્થાનક છે તેથી અલ્પપણે સાવદ્ય પ્રવૃત્તિ છે તેથી સાધુ કે સર્વવિરતિ જેવા જ્ઞાનાદિ ગુણોની રમણતા સંભવતી યોગદષ્ટિ સમુચ્ચય ૨૫૩ સ્થિરાદેષ્ટિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy