SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ રેચક ભાવપ્રાણાયામ : આ ચોથી દષ્ટિમાં જીવને તત્ત્વશ્રવણનો બોધ પ્રાપ્ત થયો છે. તે જ્ઞાન દ્વારા વિવેકની જાગૃતિને કારણે તે સ્વ-પરનો ભેદ જાણે છે. તે સમજે છે કે હું દેહાદિ સ્વરૂપ નથી. દેહાદિથી ભિન્ન સ્વપર પ્રકાશક આત્મા છું. દેહ, સ્ત્રી, પુત્ર, પરિવાર, ધન્ય, ધાન્ય, ઘર, વ્યાપાર વગેરે તે પરપદાર્થો છે. તેના નિમિત્તે આત્મામાં અજ્ઞાનવશ થયેલ અહમ્ અને મમત્વને દૂર કરવા, પરભાવદશાને કાઢી નાખવી, અશુભભાવોને ચિત્તમાંથી બહાર કાઢવા તે રેચક ભાવપ્રાણાયામ છે. આત્મા પરને ગ્રહણ કરતો નથી અજ્ઞાનવશ આવરણ થયું છે, તેનો આરોપ કરેલ છે. પૂરક ભાવપ્રાણાયામઃ રેચક ભાવપ્રાણાયામથી બહિરાત્મપણું ટળવાથી અંતરાત્મભાવ પ્રગટે છે. તે આત્મા જ્ઞાનાદિ ગુણોને પોતાના જાણે છે. તે ગુણો આત્મામાં વધારવા, આવરાયેલાને ઉઘાડવા તે પૂરક ભાવપ્રાણાયામ છે. વાસ્તવમાં જ્ઞાન એ આત્માનો અભેદ સ્વભાવ છે. કુંભક ભાવપ્રાણાયામ : અંતરાત્માપણે પ્રાપ્ત થયેલી સ્વભાવદશાને આત્મામાં સ્થિર કરવી. મોહનીયકર્મના ઉદયને કારણે પતન ન થાય તેવી જાગૃતિ રાખવી. કુંભમાં જળ ભરાય, સ્થિર રહે. તેમ આ સ્વભાવદશાને ટકાવવી તે કુંભક ભાવપ્રાણાયામ છે. આમ આ દૃષ્ટિમાં વિવેકબુદ્ધિને કારણે પરભાવને છોડે છે. સ્વભાવદશાને ગ્રહણ કરે છે. અને પ્રાપ્ત સ્વભાવદશાને સ્થિર કરે છે. “બાહાભાવ રેચક ઈહાંજી, પૂરક અંતર ભાવ, કુંભક થિરતા ગુણે કરીજી, પ્રાણાયામ સ્વભાવ.” -આ. દ. સજઝાય, ઉ. શ્રી યશોવિજયજી અધ્યાત્મમાર્ગ પ્રેરિત જે જે શાસ્ત્રો છે, તે શાસ્ત્રોમાં દેવોને ઉદ્દેશીને જે ભક્તિ નિરૂપણ કરી છે તેના બે પ્રકાર છે. (૧) ચિત્રા ભક્તિ (૨) અચિત્રા ભક્તિ ચિત્રા : ભિન્ન ભિન્ન, અચિત્રા : સમાન ચિત્રાભક્તિ જે ભિન્ન ભિન્ન છે તે લોકપાલ, મહાકાળી, મહાલક્ષ્મી અન્ય દેવો વગેરે સંસારી દેવોની ભક્તિ છે. આ ભક્તિ કરનારા કોઈ એક દેવના રાગી તો વળી બીજા દેવના દ્રષી હોય છે. વળી આ ભક્તિ ભૌતિક પદાર્થોના સુખની ઈચ્છાવાળી રાગપ્રધાન છે. વળી એ સંસારી દેવતાઓના નામ જુદા તેમ તેમની ભક્તિના પ્રકાર જુદા હોય છે. આ દેવો જ રાગી છે, તેની ભક્તિ કરનારા રાગી છે, તેઓ પરમાર્થ માર્ગ કેવી રીતે પામે ? કોઈ ધન મેળવવા, રોગ મટાડવા, ઈચ્છિત કાર્યની પૂર્તિ માટે, પુત્રાદિ પ્રાપ્તિ માટે એવા પ્રકારના દેવોની ભક્તિ કરે છે તે પ્રમાણે યોગદષ્ટિ સમુચ્ચય ૨૪૬ દીપ્રાદેષ્ટિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy