SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ દુઃખના પોટલાના બદલામાં સુખનું પોટલું આપશે. આ સૂચના પ્રમાણે સૌએ ઉદ્યાનના તંબુમાં પોટલા ગોઠવી દીધા. પછી દિવ્યવાણી થઈ કે જેને પોતાનાથી વધુ સુખી લાગે તેનું પોટલું દરેકે બદલી લેવું ત્યાર પછી સૌ તંબુમાં પાછા ગયા આખરે દરેકને લાગ્યું કે મારા પોટલા કરતા કદાચ બીજાના પોટલામાં વધુ દુ:ખ હશે તો ! આમ વિચારી દરેક પોતાનું પોટલું લઈ વિદાય થયા. સુખ કે દુઃખ સ્થાયી નથી પછી બીજાના પોટલામાં કેવી રીતે વિશ્વાસ આવે ? - જ્ઞાનીજનો કહે છે કે લક્ષ્મી, યશકીર્તિ, સમૃદ્ધિ, પરિવાર, દેહ, સગાના સંબંધ દરેક ક્ષણિક છે. તે વસ્તુઓ રહેશે અને તમે વિદાય થશો અથવા તે તે વસ્તુઓ તમને છોડીને જશે. માટે અનિત્યાદિ ભાવનાથી ભાવિત થઈ નિત્ય એવા આત્માને ભજવો. | હે જીવ ! તું જાણે છે કે ચક્રવર્તીઓની સમૃદ્ધિ, માનસન્માન, લાખો પુત્રો, અનેક પત્નીઓ, પરિવાર પણ નાશ પામ્યા છે; તો તારી પાસે એક તણખલા જેટલું પણ નથી અને તે પદાર્થોનો રાગ અનેકગણો છે. જેના કારણે જીવ પાપબંધ કરે છે, પરિણામે કષ્ટ ભોગવે છે. છતાં પણ જો તારી પાસે વૈભવ છે જ તો તેના નિમિત્તે નિઃસ્પૃહભાવે દાનાદિ કરી આત્મહિત સાધી લે. સાધર્મિકની સેવા કરી લે, નહી તો લોભ, માન જેવા વિનાશી વિકલ્પોથી સ્વયં તારા સ્વભાવની શુદ્ધતા નષ્ટ થશે. અને તું અવગતિ પામીશ. અનુપ્રેક્ષાઃ હે જીવ! તુ સ્વયં ત્રિકાળી ધ્રુવ નિત્ય છું. તેનું તને ભાન નથી એટલે નિત્યતાને તું પૌલિક પદાર્થો પર આરોપ કરે છે કે મારો દેહ નિત્ય રહે. મારા સ્ત્રી આદિ પરિવારનો વિયોગ ન થાય. મારા ધન, માલ, માન, સદા ટકયા રહે. મારી કામનાઓ નિત્ય સફળ થાય. આ સર્વેને નિત્ય ટકાવવા તને પ્રેરણા કયાંથી મળે છે? ભાઈ તારું મૂળ સ્વરૂપ અખંડ-નિત્ય છે એટલે તને નિત્યના ભાવ થાય છે. પણ દિશા ઉંધી હોવાથી તારી દશાં પણ ઉંધી થઈ છે. છતાં હવે નિત્ય સ્વરૂપને સ્વીકારીને અનિત્યને ત્યજી દે તેમાં તને સુખ છે. આ પ્રમાણે ચિંતન કરવું. અનિત્યને અધુવ કહેવામાં આવે છે. અધુવ એટલે અસ્થાયી. વિશ્વમાં જે કોઈ સંયોગથી ઉત્પન્ન થાય છે તે નિયમથી વિનાશી છે. દરેક પદાર્થોની નવી પર્યાયો-અવસ્થાઓ સમયે સમયે બદલાતી રહે છે. આપણો દેહ પણ સમય આવે બીજા દેહને ધારણ કરે છે. વળી જગતમાં જે દ્રશ્યમાન ચીજો ચિંતનયાત્રા Jain Education International ૧૭. For Private & Personal Use Only અનિત્ય ભાવના www.jainelibrary:org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy